ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં આયોજીત લોક અદાલતમાં કુલ 8635 કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી 2706 જેટલા કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો છે જેમાં સેટલમેન્ટની રકમ પણ 15 કરોડથી વધુ હતી.
મોરબીમાં શનિવારે લોક અદાલત યોજાઈ હતી જેમાં પ્રિ લિટીગેશનના કેસો, પ્રોહિબિશન કેસો, જમીન મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના, ચેક રીટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુના કેસો, દિવાની પ્રકારના કેસો સહિતના કુલ 8635 જેટલા કેસો મુકવામાં આવ્યા હતા. લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને લાભ કર્તા છે અને બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહીં તેમજ કોઈનો પરાજય નહીં તેવી પરીસ્થિતી ઉદભવે છે જેથી લોક અદાલતમાં કેસો લાવવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા હતા. શનિવારની લોક અદાલતમાં 2706 જેટલા કેસોનો નિકાલ કરાયો હતો અને સામે સેટલમેન્ટની રકમ રૂપિયા 15,12,12,809 એ પહોંચી હતી.