By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    3 hours ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    2 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    3 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    3 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લશ્કરના આતંકીની ખુલ્લી ધમકી: હિંદુઓના ગળા કાપવાથી જ કાશ્મીરને આઝાદી મળશે
    18 minutes ago
    મકરસંક્રાંતિએ પ્રયાગરાજમાં 54 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું
    49 minutes ago
    પાલક પનીરને કારણે ભારતીય દંપતીને પોણા બે કરોડ રૂપિયા મળ્યાં
    53 minutes ago
    પાકિસ્તાની-બાંગ્લાદેશીને હવે અમેરિકામાં નો એન્ટ્રી
    56 minutes ago
    હિમાચલના સિરમૌર જિલ્લામાં ફરી એક રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં 4ના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    3 hours ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    3 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    5 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
    KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 hours ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૃગીકુંડમાં શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓ માટે કઊઉ સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મૃગીકુંડમાં શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓ માટે કઊઉ સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ
જુનાગઢ

મૃગીકુંડમાં શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓ માટે કઊઉ સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ

Khaskhabar Editor
Last updated: 2026/01/15 at 4:50 PM
Khaskhabar Editor 6 minutes ago
Share
4 Min Read
SHARE

ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓનો ધમધમાટ, કલેકટર દ્વારા ભવનાથ ક્ષેત્રનું સ્થળ નિરીક્ષણ

એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને ટ્રાફિક મેનેજમેન્ટનું સુદ્રઢ આયોજન કરાશે

- Advertisement -

ભવનાથ સહિત દબાણ હટાવો ઝુંબેશ અને મેળાના રૂટનું સૂક્ષ્મ નિરીક્ષણ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15

જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં યોજાનારો સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રી મેળો આ વર્ષે રાજ્ય સરકારના વિશેષ સહયોગથી અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોના આસ્થાના પ્રતીક સમાન આ મેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કરી સાધુ-સંતો અને ભાવિકોની સુવિધા માટે તંત્રને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
મહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી સાધુ-સંતોની રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં થતું શાહી સ્નાન. જિલ્લા કલેકટરે ભવનાથ મંદિર અને મૃગીકુંડની મુલાકાત લઈને આ પવિત્ર ક્ષણ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરી હતી. સાધુઓના સ્નાન સમયે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને ભીડનું વ્યવસ્થિત સંચાલન થાય તે માટે અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્નાન સમયે કુંડની આસપાસની બેઠક વ્યવસ્થા અને પ્રકાશની સુવિધા અંગે પણ કલેકટરે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી.
મહાશિવરાત્રીની રાત્રે ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, જેના કારણે દરેક શ્રદ્ધાળુ મૃગીકુંડ સુધી પહોંચી શકતો નથી. આ બાબતને ધ્યાને રાખીને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એક નવતર આયોજનની જાહેરાત કરી છે. વધુમાં વધુ શ્રદ્ધાળુઓ સાધુ-સંતોના શાહી સ્નાનને નિહાળી શકે તે માટે ભવનાથ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. આ સુવિધાને કારણે ભીડ એક જ જગ્યાએ એકત્રિત થવાને બદલે વહેંચાઈ જશે અને લોકો દૂર રહીને પણ દર્શનનો લાભ લઈ શકશે.
લાખોની સંખ્યામાં ઉમટતા ભાવિકોની અવર-જવરને સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (નિકાસ) પોઈન્ટ્સનું વૈજ્ઞાનિક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. કલેકટરે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર સાથે પરામર્શ કરીને એવા પોઈન્ટ્સ નક્કી કરવામાં આવશે જ્યાંથી લોકોની અવર-જવર એકતરફી રહે, જેથી નાસભાગ જેવી સ્થિતિ ન સર્જાય. આ ઉપરાંત, ભવનાથ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મેળાની ગરિમા જળવાય અને રવેડીનો રૂટ પ્રશસ્ત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સાધુ-સંતો સાથે મળીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાવિકોની સુગમતા માટે ભવનાથ મંદિર પરિસરના અમુક બિનજરૂરી સ્ટ્રક્ચરો પણ દૂર કરવામાં આવ્યા છે. રવેડીના માર્ગ પર આવતા નાના-મોટા દબાણો અને અવરોધોને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા તેજ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીનો હેતુ સાધુઓની રવેડી નિર્વિઘ્ને નીકળે અને ભક્તોને હરવા-ફરવામાં સરળતા રહે તેવો છે. મેળાના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લાના તમામ મુખ્ય વિભાગોના વડાઓ આ મુલાકાતમાં જોડાયા હતા. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓએ કલેકટર સાથે રહીને પોતપોતાના વિભાગની જવાબદારીઓનું વિશ્લેષણ કર્યું હતું. મહાશિવરાત્રીના મેળાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરના આ સઘન નિરીક્ષણ અને દિશાનિર્દેશોથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષનો મહાશિવરાત્રી મેળો માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સુવ્યવસ્થિત વહીવટનું પણ ઉત્તમ ઉદાહરણ બનશે. તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને સુરક્ષાના કડક અમલ માટે રાત-દિવસ એક કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત: કાર ચબૂતરા સાથે અથડાતા યુવકનું મોત, 5ની હાલત ગંભીર

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક યોજાઈ

‘બંગલા ગેંગ’નો પોલીસ પર હુમલો કરવાનો ઈરાદો નિષ્ફળ, હથિયારોના જથ્થા સાથે 3ની ધરપકડ

ગીર સોમનાથના તાલાલા ખાતે થશે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી થશે

તાલાલાનાં રસુલપરા ગીર ગામે હિંસક દિપડાએ પરપ્રાંતિય શ્રમજીવી પર હુમલો કરતા મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા શહેરની ભરબજારે આધેડના રૂ. 1.23 લાખની લૂંટ, બે શખ્સો ફરાર
Next Article ‘બંગલા ગેંગ’નો પોલીસ પર હુમલો કરવાનો ઈરાદો નિષ્ફળ, હથિયારોના જથ્થા સાથે 3ની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત: કાર ચબૂતરા સાથે અથડાતા યુવકનું મોત, 5ની હાલત ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક યોજાઈ
‘બંગલા ગેંગ’નો પોલીસ પર હુમલો કરવાનો ઈરાદો નિષ્ફળ, હથિયારોના જથ્થા સાથે 3ની ધરપકડ
ધ્રાંગધ્રા શહેરની ભરબજારે આધેડના રૂ. 1.23 લાખની લૂંટ, બે શખ્સો ફરાર
દસાડાના રાજપરમાં સ્માર્ટ GIDC મંજૂર ઔદ્યોગિક વિકાસનું નવું હબ બનશે
ટંકારા પોલીસનો મોટો સપાટો: છતર GIDCના ગોડાઉનમાંથી રૂ. 1.17 કરોડનો દારૂ ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત: કાર ચબૂતરા સાથે અથડાતા યુવકનું મોત, 5ની હાલત ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
જુનાગઢ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જુનાગઢ

‘બંગલા ગેંગ’નો પોલીસ પર હુમલો કરવાનો ઈરાદો નિષ્ફળ, હથિયારોના જથ્થા સાથે 3ની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?