ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં વાવેતરની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોને રાસાયણિક ખાતરનું વ્યવસ્થિત વિતરણ થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરી હતી જે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના રાસાયણિક ખાતરના વિક્રેતાઓની દુકાનો પર આકસ્મિક મુલાકાત લઈને સઘન તપાસ કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન કેટલાક સ્થળો પર રાસાયણિક ખાતરના જથ્થામાં ગેરરીતિ જોવા મળી હતી આ સ્થળો પર રાસાયણિક ખાતરના પરવાના (લાયસન્સ) રદ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 18 રાસાયણિક ખાતરના વેચાણ લાયસન્સ મોકૂફ કરવામાં આવ્યા છે. તેમજ રૂ. 35.99 લાખની કિંમતનો 395.69 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 2 વઢવાણ, 4 મુળી, 5 લખતર, 4 દસાડા, 1 ચોટીલા અને 2 ચુડા ખાતે લાયસન્સ વિક્રેતાઓન ડેપોમાં ગેરરીતિ જોવા મળતા લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરમાં ગેરરીતિ કરતા 18 વિક્રેતાના લાયસન્સ રદ
