By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    23 hours ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    3 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    5 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    6 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    23 hours ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    23 hours ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    2 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    2 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    3 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    6 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાલોને ચિંતા ને ચિતા પર મૂકીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ચાલોને ચિંતા ને ચિતા પર મૂકીએ
Authorલાઇફ સ્ટાઇલ

ચાલોને ચિંતા ને ચિતા પર મૂકીએ

Khaskhabar Editor
Last updated: 2023/09/25 at 5:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ચિતા ચિંતા સમાયુક્ત બિંદુ માત્ર વિશેષતા સજીવમ દહતે ચિંતા નિર્જીવમ દહતે ચિતા

અર્થાત, ચિતા અને ચિંતા બંને સરખા છે ફક્ત એક બિંદુ નો ફરક છે ચિતા સજીવને એકવાર બાળે છે જ્યારે ચિંતા મનને સતત બાળ્યા જ કરે છે.

- Advertisement -

ડો.નિકુંજ જીલડીયા
આજે ભૌતિકવાદી વિશ્ર્વમાં જેમ નવા નવા શારીરિક રોગોનું નિર્માણ થઈ રહ્યું છે તેમ નવા નવા માનસિક રોગો પણ માણસને પોતાના સકંજામાં સાંકળતા જાય છે.આજે અલગ અલગ માણસ અલગ અલગ ચિંતાઓથી ઘેરાયેલ રહે છે પછી એ ચિંતા વ્યક્તિગત હોય,પારિવારિક હોય કે પછી સામાજિક.
જીવનમાં વ્યક્તિ ને જ્યારથી સમજણના અંકુર ફુટે છે ત્યાંથી લઈ ને છેક સ્મશાનની ચિતા સુધી ચિંતાઓથી ઘેરાયેલ રહે છે.સ્મશાનમાં જેવી રીતે ચિતા લાકડાની સાથે પાર્થિવ દેહને પણ રાખ કરી નાખે છે તેમ માણસની ચિંતા જીવનમાંથી ખુશી,એકાગ્રતા,નિર્ણય લેવાની શક્તિ અને અંતે તો માણસની આધ્યાત્મિકતા પણ રાખ થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે ને
ચિંતાથી ચતુરાઈ ઘટે,
ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બડી અભાગણી ચિંતા ચિતા સમાન
આટલું જાણતા હોવા છતાં પણ જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનું વિચારીયે છીએ ત્યારે કર્મ કરવાની જગ્યાએ આપણે પરીણામ વિશે વિચારીને એ કાર્ય પ્રત્યેની ચિંતા વધારી દઈએ છીએ.હવે ધારો કે આપણે અમુક પરીણામ ની ઈચ્છા રાખીએ છીએ પણ તે પરીણામ માટે આપણને શંકા છે અને તેથી આપણે ચિંતા કરીએ છીએ.કર્મ સંજોગે પરીણામ તો સારું જ આવે છે તો પછી આપણે કરેલી ચિંતા નો કોઈ અર્થ જ નથી રહ્યો ને ? પણ,ધારો કે આપણે જે વા પરીણામની શંકા હતી તેવું જ પરિણામ આવે છે તો પણ આપણે કરેલી ચિંતાથી આપણે પરીણામને તો ન જ ફેરવી શક્યા ને ?
તેથી એટલું તો નિશ્ર્ચિત છે કે ચિંતા કરવાથી આપણે વગર કારણે દુ:ખ અને કષ્ટ સહન કર્યા.તેથી જ વ્યક્તિએ સમજવું જોઈએ કે ચિંતા કોઈપણ પ્રકારે ઉપયોગી નથી જ પણ તે તો એક પ્રકારની આત્મહત્યા જ છે મરેલા માણસના શરીરને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તેને કોઈ જ દુ:ખ થતું નથી કારણ કે તેનામાં ચેતના નો અભાવ હોય છે પરંતુ જીવતા માણસને ચિંતા રૂપી આગનો અનુભવ થતો જ રહે છે એટલે ચિંતા અંતે શારીરિક મૃત્યુ પહેલાનું માનસિક મૃત્યુ જ છે.
આ ચિંતાઓને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ (1) વાસ્તવિક ચિંતા અને (2) કાલ્પનિક ચિંતા. વાસ્તવિક ચિંતા એટલે એવી ચિંતા કે જે એક પ્રકારે વ્યક્તિની સભાનતા અને સજાગતા દર્શાવે છે.
દાખલા તરીકે કોઈ કામ બાકી રહી ગયું હોય તો તેને આપેલ સમયમાં કઈ રીતે વ્યવસ્થિત પૂર્ણ કરવું, જ્યારે કાલ્પનિક ચિંતા એટલે એવી ચિંતા કે જેનું ભવિષ્યમાં એ ચિંતા નું કોઈ અસ્તિત્વ જ ના હોય. આ કાલ્પનિક ચિંતાને જીવનના અલગ અલગ તબક્કામાં આપણે સૌએ અનુભવ કર્યો જ હશે.
મનોવિજ્ઞાનિક લોકો તો પોતાના અભ્યાસ પરથી એમ કહે છે કે વ્યક્તિની ચિંતામાં 80% ચિંતા તો કાલ્પનિક જ હોય છે આવી કાલ્પનિક ચિંતા ને અટકાવવા સૌ પ્રથમ તો મનના આવેગોને શાંત પાડવા પડે.વ્યક્તિ જ્યારે પોતાના મનના આવેગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞા અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.
શ્રીમદ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે તેમ સ્થિતપ્રજ્ઞ એટલે મનમાં આવતા આવેગોને જે ત્યાગી શકે છે અને સ્વંયમની આત્મનિષ્ઠ અવસ્થામાં સ્થિત બને છે તે સ્થિતપ્રજ્ઞ બને છે અને સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જ જીવનમાં દુ:ખ,ચિંતા,કામ, ક્રોધ પર સંયમ મેળવી શકે છે.સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિનો ઇશ વિશ્ર્વાસ વધે છે અને પોતાની તમામ ચિંતા ભગવાનના ચરણે મૂકી નિશ્ર્ચિત પણે જીવનમાં બનતી ઘટનાઓનો સ્વીકાર કરી અડગ મને જીવન વ્યાપન કરે છે. આ અવસ્થામાં વ્યક્તિ ચિંતા ન કરતા ચિંતન કરે છે અને પોતાની તમામ વ્યથા ભગવાનના ચરણે મૂકી છે.ગીતામાં નવમા અધ્યાયમાં 22 મા શ્ર્લોકમાં કહેવાયું છે એમ,
અણધ્રળરુહ્યધ્ટ્રૂધ્ટળજ્ઞ પર્ળૈ ્રૂજ્ઞ ઘણર્ળીં ક્ષ્રૂૂૃક્ષળલટજ્ઞ । ટજ્ઞરર્ળૈ રુણટ્ટ્રૂળરુધ્રૂૂુળણર્ળૈ ્રૂળજ્ઞઉંષજ્ઞર્પૈ મવળબ્રવપ્ર ।
અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ પોતાની બધી ચિંતાઓ, મુશ્ર્કેલીઓ મારા ચરણે મુકી દે છે તેની તમામ જવાબદારી હું સંભાળી લઉ છું.
આજે આપણે બધા પણ કોઈને કોઈ ચિંતાઓથી પીડાતા હોઈએ છીએ ત્યારે પહેલા તો સ્થિત પ્રજ્ઞ અવસ્થા કેળવી કોઈપણ દુ:ખ કે ચિંતાનો નિડરતાથી સામનો કરી, અધ્યાત્મમાં વિશ્ર્વાસ રાખી આગળ વધીએ તો સમય જતા આપણી ચિંતા ખૂદ ચિતા પર બળતી
નજરે ઠરશે.

You Might Also Like

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને

TAGGED: life, STREES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાંથી SOG પોલીસે 13 લાખના M.D ડ્રગ્સ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા
Next Article અંબાજીમાં રોશનીનો ઝગમગાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મનીષ આચાર્ય

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?