એક ગામમાં એવી પરંપરા હતી કે ગામમાં નવા વસવાટ કરવા આવનારને ગામના બધાં લોકો પોતાની ક્ષમતા પ્રમાણે કંઈ ને કંઈ ભેટ આપે. ગામમાં બે ભાઈઓ નવા રહેવા માટે આવ્યા. ગામમાં જ રહેતો એક કુંભાર આ બંને ભાઈઓ માટે માટીમાંથી બનાવેલી સરસ મજાની બે ઢીંગલીઓ બનાવીને ભેટ આપવા માટે લઈ ગયો અને કહ્યું, આ કાચી માટીમાંથી બનાવી છે પણ સમયના અભાવે એને પકવી શક્યો નથી. જો તમે આ ઢીંગલી મજબૂત બને એવું ઇચ્છતા હો, તો એને આગમાં નાખીને તપાવજો. ગામમાંથી જ એક સુથાર લાકડાંની બનાવેલી બે ઢીંગલી લાવ્યો અને કહ્યું, કાચા લાકડાંની આ ઢીંગલીઓ છે. જો વધુ મજબૂત બનાવવી હોય તો પાણીમાં પલાળજો.
એક ભાઈએ માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાંની ઢીંગલીને પાણીમાં પલાળી. પરિણામે બંને ઢીંગલીઓ મજબૂત બની. પણ બીજા ભાઈએ આથી ઊલટું કર્યું. એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાંની ઢીંગલીને આગમાં નાખી. પરિણામ એ આવ્યું કે એક ઓગળી ગઈ અને બીજી બળી ગઈ. ભગવાને પણ દરેકને જુદી જુદી ક્ષમતા આપી છે. કોઈને માટીની તો કોઈને લાકડાંની ઢીંગલી બનાવી છે, પ્રભુએ. હવે આપણે કઈ ઢીંગલી છીએ એ આપણે નક્કી કરવાનું છે. આપણે માટીની ઢીંગલી હોઈશું અને પાણીમાં પડીશું; તો ઓગળી જઈશું અને લાકડાંની ઢીંગલી હોઈશું અને આગમાં પડીશું તો બળી જઈશું. મતલબ કે આપણી રસ અને રુચિ મુજબના કાર્યક્ષેત્રમાં જ આગળ વધવું. લોકો કહે એમ નહીં. આપણી ક્ષમતા હોય એમ કારકિર્દી નક્કી કરવી જોઈએ.
- Advertisement -
હું જ્યારે તરુણાવસ્થામાં હતો ત્યારથી લેખક બનવા માટેનું સ્વપ્ન જોતો
– પોલો કોએલો



