ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં દિપડાઓનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લામાં અનેક વ્યક્તિને દિપડાના હુમલામાં જીવ ગુમાવ્યો છે અને અનેકને ઘાયલ કરવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગઇકાલે જૂનાગઢ નજીકના ગલીયાવાડ ગામની સીમમાં ભર બપોરે દીપડો ઘુસી આવ્યો હતો અને ચાર બકરા અને એક ઘેટાને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી હતી. આ અંગે ખેડૂત એકતા મંચના મહમદભાઇ સીડાએ વન વિભાગ પાસે એવી માંગ કરી હતી કે, અવાર વાર ગ્રામ્ય વિસ્તારમાં હિંસક પ્રાણી દિપડા જેવા ઘુસી આવે છે અને પશુઓના મારણ કરે છે. જેના લીધે ખેત મજુરો અને ખેતરે કામ કરતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા દિપડાને તાત્કાલીક ધોરણે ઝડપી લોકોને ભયમાંથી મુકત કરવા જોઇએ.