ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર જાણે અયોધ્યા નગરીમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વેહલી સવારથી રેલી તથા શોભાયાત્રા સહીત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઝાંઝરડા રોડ પર આવેલ ટ્રાઈડેન્ટ પ્લાઝા કોમ્પ્લેક્ષ ખાતે વિશાળ એલઈડી મુકવામાં આવી હતી જેમાં રામ ભક્તોએ વિશાળ એલઈડીના માધ્યમથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી હતી ત્યારે સમગ્ર વાતવરણ શ્રીરામ મય બન્યું હતું.
ઝાંઝરડા રોડના ટ્રાઈડેન્ટ પ્લાઝા ખાતે એલઈડી સ્ક્રીન પર પ્રાણપ્રતિષ્ઠા નિહાળતા રામ ભક્તો
