ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જનસભાને સંબોધશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે.
- Advertisement -
ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આ કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક માસ સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચાલી રહયુ છે, અને સાંસદ સભ્યો, ધારાસભ્યો, ભાજપ અગ્રણીઓ દ્વારા ભાજપ સરકારની નવ વર્ષની સિધ્ધીઓની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે.
તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ધ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે આજે તા.22/6ના ગુરૂવારે સાંજે 6:00 કલાકે શહેર ભાજપ ઘ્વારા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નાના મૌવા સર્કલ ખાતે ’વિશાળ જનસભા’નું આયોજન કરવામાં આવેલ છે આ વિશાળ જનસભામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય આગેવાન શ્યામ જાજુ અને સુધીર ગુપ્તાજી ઉપસ્થિત રહી સંબોધન કરશે.