ખાસ-ખબર ન્યૂઝ વાયનાડ, તા.1
કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240થી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગુમ છે. હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી છે.
ડ્રોન, ગઉછઋ, જઉછઋ, સ્નિફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્ર્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખી રાત કામ કરવા છતાં સેના બેલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકી નથી. હાલ બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. સેનાને આશા છે કે આજે બપોર પહેલા પુલ પર વાહનવ્યવહાર શરૂ થઈ જશે. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્ર્કેલી આવી શકે છે.
- Advertisement -
બુધવારે મોડી રાત સુધી 1592 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, 3 હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. રાહુલ ગાંધી આજે વાયનાડ જશે. તે પ્રિયંકા ગાંધી સાથે પીડિતોને મળશે. રાહુલે વાયનાડ અને રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
રાહુલ-પ્રિયંકા પીડિતોને મળશે
વાયનાડ કલેકટરે લોકોને તેમના ઘર છોડવા કહ્યું
વાયનાડના કલેક્ટર ડીઆર મેગાશ્રીએ કુરુમ્બલાકોટ્ટા, લાકિતી મણિકુન્નુ માલા, મુત્તિલ કોલપારા કોલોની, કપિકલમ, સુધાંગિરી અને પોશુથાના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે વરસાદ અને ભૂસ્ખલનના ભય વચ્ચે તેમના ઘર છોડવા જણાવ્યું છે. આ પહેલા બુધવારે લોકોને ભૂસ્ખલન વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી.
વાયનાડ જઈ રહેલા સ્વાસ્થ્ય મંત્રી અકસ્માતમાં ઘાયલ
ભૂસ્ખલનની ઘટનાની સમીક્ષા કરવા વાયનાડ જઈ રહેલા કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ બુધવારે (31 જુલાઈ) સવારે લગભગ 7.30 વાગ્યે એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેમને મલપ્પુરમના મંજરીની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્કૂટર સવારને બચાવવા જતાં આ ઘટના બની હતી.
- Advertisement -
રાજ્યપાલ વાયનાડ પહોંચ્યા
પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બુધવારે વાયનાડ પહોંચ્યા હતા. તેઓ વાયનાડમાં પીડિતોને મળ્યા હતા. આ પછી, તેમણે મુખ્યમંત્રી વિજયન સાથે ચર્ચા કરી અને બચાવ કામગીરી વિશે માહિતી મેળવી અને રાહત શિબિરો-હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
AIADMKએ એક કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી
તમિલનાડુની વિપક્ષી પાર્ટી AIADMKએ બુધવારે વાયનાડના પીડિતો માટે 1 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પાર્ટીના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે 1 કરોડ રૂપિયા ઉપરાંત અમે પડોશી રાજ્યોમાં પણ રાહત સામગ્રી મોકલીશું.
બચાવ કામગીરી માટે સેનાએ પુલ બનાવ્યો
મુંડક્કઈને ચુરલમાલાથી જોડવા માટે આર્મી 85 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવી રહી છે. આ પુલ 24 ટન વજન સહન કરી શકે છે. પુલના નિર્માણ બાદ બચાવ કામગીરીમાં ઝડપ આવશે.