કલકાતામાં મહિલા ડોક્ટરની હત્યા બાદ દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ જોર પકડ્યું છે.
આ સંદર્ભમાં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર પાસે એક પત્ર દ્વારા તેની ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. IMA એ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી નડ્ડાને પત્ર લખીને અપરાધને શક્ય બનાવનાર પરિસ્થિતિઓની વિગતવાર તપાસ અને કાર્યસ્થળ પર ડોકટરો, ખાસ કરીને મહિલાઓની સલામતી સુધારવા માટે પગલાં લેવાની માંગ કરી છે.
- Advertisement -
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મુખ્ય ત્રણ માંગણીઓ શું છે?
IMA એ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારને નીચેની માંગણીઓ કરી છે, જેમાં પ્રથમ એ છે કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ.
બીજી માંગ એ છે કે, કયા સંજોગોમાં ગુનો શક્ય બન્યો તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. ત્રીજી માંગ એ છે કે કાર્યસ્થળ પર ડોકટરો, ખાસ કરીને મહિલાઓની સલામતી સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
IMA એ લખ્યું કે, એરપોર્ટ ની જેમ હોસ્પિટલોને સેફ ઝોન બનાવો, એરલાઇન્સમાં કોઈ ગેરવર્તન કરે તેના માટે જેમ કાયદો છે તેમ ડોકટરો માટે પણ કાયદો અમલમાં મૂકવામાં આવે.
- Advertisement -
આ ઉપરાંત પત્રમાં લખાયું છે કે, સરકારી હોસ્પિટલોમાં જરૂરી જવાનો સાથે પોલીસ ચોકી હોવી જોઈએ, આ ઉપરાંત દેશભરની હોસ્પિટલો સેફ ઝોન જાહેર કરો, તમામ જગ્યાએ સીસીટીવી ફરજીયાત હોવવું જોઈએ સહિતની માંગ મૂકવામાં આવી છે.
આ મામલે ભાજપે સીએમ મમતા બેનર્જી પાસે માંગ કરી છે
કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું કે આ એક જઘન્ય અપરાધ છે. સરકારે વહેલી તકે ન્યાય આપવાનો પ્રયાસ કરવો જોઈએ. પોલીસનું વલણ સારું નથી. ભાજપ સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે.
સીએમ મમતા બેનર્જી પણ આ માટે સહમત છે, પરંતુ તેઓ ગૃહ મંત્રાલયને આવો કોઈ પત્ર લખી રહ્યા નથી. આંદોલન કરી રહેલા ડોકટરો પણ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.