By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    7 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    7 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    7 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    7 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    7 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    9 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો
Authorધર્મમનીષ આચાર્ય

શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 11:56 AM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

ધતુરાની ઉત્પત્તિના મૂળ સ્થાન તરીકે ભારતના દાવા જેટલો જ મજબૂત દાવો અમેરિકાનો છે

સદીઓથી ધતુરાની વિવિધ પ્રજાતિઓ વિવિધ દેશની વિવિધ સંસ્કૃતિઓમાં સન્માનીય રહી છે. અર્થાત્ એવું નથી કે દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા ધતુરાને કેવળ આપણે હિન્દુઓ જ ઓળખી છીએ. સાચું કહું તો આ દિવ્ય વનસ્પતિને આપણે બહુ ઓછી સમજી શક્યા છીએ. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વિસ્તૃત વર્ણન હોવા છતાં આયુર્વેદ સંલગ્ન લોકોએ લોકોને તેનો સાચો પરિચય આપવાનું જરૂરી માન્યું નથી. વનસ્પતિશાસ્ત્રની પરિભાષામાં ધતુરો સોલાનેસી એટલે કે અત્યંત ઘાતક એવા નાઇટશેડ પરિવારનો સભ્ય છે. જોકે આ ટામેટાં, બટાકા, રીંગણા અને મરી જેવા નિર્દોષ અને ખાદ્ય છોડ પણ આ જ વનસ્પતિ કુળના સભ્ય છે. તેને કેપ્સિકમ જીનસના ફળ ગણવામાં આવે છે. આ જીનસની વનસ્પતિઓ વિશ્વના ગરમ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. તેમાં ભ્રમણાઓ પેદા કરવા માટે અતી સક્ષમ ગણાતા ડી. ઇનોક્સિયા, ડી. સ્ટ્રેમોનિયમ, ડી. મેટેલ, ડી. રાઇટી, ડી. સેરાટોકૌલા, ડી. ક્વેર્સીફોલિયા, ડી. ટેટુલા, જેવા છોડનો પણ સમાવેશ થાય છે.
ધતૂરો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ દુસ્તુરા કે દહાતુરા પરથી ઉતરી આવ્યો હોવાનું ભાષાશાસ્ત્રીઓ માને છે. જેનો અર્થ થાય છે “દૈવી મદ્યપાન” જેવો થાય છે. તેના ફૂલ સામાન્ય રીતે સફેદ જિ આછા પીળા, લાલ અને કાળાશ પડતા ઘેરા જાંબલી રંગના હોય છે. તે હળવી સુગંધ પણ ધરાવતા હોય છે. તેના બીનું કદ અખરોટ જેટલું મોટું હોય છે અને તે કાંટાથી ઢંકાયેલ હોય છે. અંગ્રેજીમાં તેને થોર્ન એપલ કહે છે. ધતૂરો ભારત સિવાય પણ અમેરિકા યુરોપ આફ્રિકાના અનેક દેશો સુધી ફેલાયેલો છે. વિશ્વની અનેક સંકૃતીઓમાં તેને દિવ્ય પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. વિશ્વના અનેક વિશાળ બોટનિકલ ગાર્ડનમાં તે આજે પણ શોભાયમં છે. અનેક યુદ્ધો દરમિયાન તેનો ઉપયોગ ઘાયલ સૈનિકોની સારવાર માટે થયો છે. આવા આ મહાન છોડના ઔષધીય ગુણો પણ જોઈ લઈએ.
ભોળેનાથને ચઢાવવામાં આવતા ધતૂરામાં રહેલા ઔષધીય ગૂણોને કારણે શિવજીને તે ખાસ પ્રિય છે. આ એક એવો છોડ છે જેના મૂળથી લઈને ફૂલ સુધી દરેક તત્વ ઔષધિય ગુણોથી સભર છે.

- Advertisement -

પગમાં સોજો
જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે અને રાહત મળે છે.

ગઠિયાનો દુ:ખાવો
જે લોકો સાંધાના દુ:ખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. તે તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાનું પાન બાંધી લો.

કાનમાં દુ:ખાવો
કાનના દુ:ખાવામાં ધતૂરો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડા ધતૂરાના પાનનો રસ મિક્સ કરો. પછી સ્લો ફ્લેમ પર તેને ગરમ કરો અને કાનમાં 2 ટીપાં નાખો. અનુસંધાન પાના નં. 10

- Advertisement -

કેવળ ભારત જ નહીં, દુનિયાભરના દેશોમાં જગત આખાની તમામ સંસ્કૃતિઓમાં વિચક્ષણ ઔષધીય ગુણો માટે ધતૂરો સન્માનથી પુજાતો રહ્યો છે

ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની અડદની દાળ જેટલી નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 2 વાર 1-1 ખાઈ લો. (નિષ્ણાંત વૈદ્યની સલાહ લઈને જ આ કરવું) ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. ભગવાન શિવ કૈલાશમાં રહે છે અને તે અત્યંત ઠંડો પ્રદેશ છે. અહીં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ઉષ્મા આપે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતૂરો જો સિમિત માત્રામાં લેવામાં આવે તો તે ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વિષપાન બાદ અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, વેલ વગેરેથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. આયુર્વેદના અનુસાર ધતૂરામાં રહેલા ઔષધિય ગુણ ઘાને રૂઝવવા અને શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

પુરુષોની શારીરિત ક્ષમતા માટે વરદાન
પુરુષો માટે ધતૂરાનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. જેનાથી તેમની શારીરિક ક્ષમતા વધે છે. જેના સેવન માટે લવિંગ અને ધતૂરાના બીજને સમાન માત્રામાં પીસી લો. જે બાદ તેમાં મધ ભેળવીને નાની ગોળીઓ બનાવી લો. રોજ સવારે એક ગોળી ખાઓ. ફેરફાર તમે પોતે અનુભવી શકશો.

ઘાને કરી શકે છે ઠીક
જો તમારા શરીર પર કોઈ ઉંડો ઘા થયો છે તો તમે ધતૂરાની મદદથી તેને ઠીક કરી શકો છો. તેને આપણે એન્ટિસેપ્ટિક દવા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છે. જેનાથી કોઈપણ ઘા જલ્દી ભરાઈ શકે છે. જો કે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તેનો ઉપયોગ વધુ ઉંડા ઘા પર ન કરવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ આપણી ત્વચાના ઉપરના સ્તર પર જ કરવાનો છે.

ટાલને કરી શકે દૂર
ટાલથી પરેશાન લોકો તેના રસને પ્રભાવિત જગ્યા પર લગાવી શકે છે. તેને રસમાં એવા વિશેષ ગુણ હોય છે, જે સીબમને સ્વસ્થ કરે છે અને ટાલિયાપણાની સમસ્યાને રોકે છે. ધતૂરાના રસને તલના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથ દર્દીને ફાયદો મળે છે.

દમની ફરિયાદ કરી શકે દૂર
જે લોકોને દમની ફરિયાદ છે તેમના માટે ધતૂરો ફાયદો કરાવી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે ધતૂરાના અપામાર્ગ અને જવાસા નામની જડીબૂટીની સાથે મળીને ચૂરણ બનાવી લો. હવે તેને રોજ સુંઘવાથી સમસ્યા દૂર થઈ જશે.

કાનના દર્દમાં કારગર
કાનના દર્દ અને સોજાની સ્થિતિમાં તમે ધતુરાનો પ્રયોગ કરી શકો છો. ધતૂરામાં એન્ટી-ઈન્ફેલ્મેટ્રી અને એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે. જેથી તે કાનના દર્દીને ઠીક કરી શકે છે.

ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે

જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ, આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે

મર્યાદિત માત્રામાં કરો ઉપયોગ
ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો આપણે ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે. પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો. તે શરીર માટે હાનિકારક હોય શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે.
તમને જણાવી દઈએ કે ધતૂરામાં કેટલાક ઝેરી તત્વો હોય છે.જે વ્યક્તિના શરીર માટે ખૂબ જ હાનિકારક હોય શકે છે. જેથી નિષ્ણાંતોની પ્રત્યક્ષ દેખરેખ વીના તેના પ્રયોગ ન જ કરવા. તેનો ઉપયોગ કરવાથી પહેલા ડોક્ટરની સલાહ લો. ધતૂરાનો ખાવામાં બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તે જીવલેણ નિવડી શકે છે.
ધતુરાના ફૂલના પાવડરમાં શીલાજીત મિક્સ કરીને તેની પેસ્ટ નો લેપ કરવાથી અંડકોષમાં બળતરા, પેટમાં બળતરા, સાંધાના સોજા અને હાડકાંના સોજામાં ઘણો ફાયદો થયો જોવા મળે છે.
ધતુરા બીજની રાખને સવારે, બપોરે અને સાંજે લેવાથી લાભ થાય છે. તાવ આવે તે પહેલા ધતૂરાના બીજના પાવડરને લગભગ એક ચતુર્થાંશ ખાવાથી દર્દીને લાભ થાય છે. ધાતુરાના પાન, સોપારી અને કાળા મરીનો સરખા પ્રમાણમાં પીસી લો અને તેની ગોળીઓ બનાવો. દિવસમાં 2 વખત 1 ગોળી લેવાથી તાવ રાહત મળે છે.
કાનમાં દુખાવાની સમસ્યામાં પણ રાહત મેળવવા માટે ધતૂરો ફાયદાકારક છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડો ધતૂરાના પાનનો રસ મિક્સ કરી લો, હવે ધીમા તાપે તેને ગરમ કરી લો અને કાનમાં 2 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં દુખતું સારું થશે.
ધતુરા બીજની રાખ બનાવવી. આ ચુર્ણનો 1-1 ગ્રામ દરરોજ 8-10 દિવસ એકવાર લેવાથી હાથ-પગમાં વધુ પરસેવો થવાનો રોગ મટે છે. આશરે 1 ગ્રામનો ચોથો ભાગ, ધતુરાના બીજ ખાવાથી, હાથ-પગમાં પરસેવો આવતા દર્દીને લાભ થાય છે.

ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે, ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો તે શરીર માટે હાનિકારક હોઇ શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે

હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધાય છે. ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ પર ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. પગમાં સોજો આવી જવાની સમસ્યાથી વારંવાર હેરાન થાવ છો તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજાની સમસ્યામાં રાહત મળે છે.
જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તે ધતૂરાના પાનનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉકાળી તેલ તૈયાર કરવું આ તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાના પાનને બાંધી લેવા. આમ કરવાથી સંધાના દુખાવામાં રાહત મળતી જણાશે.
25 ગ્રામ સરસવનું તેલ, ધતૂરાના પાનના 100 ગ્રામ રસ લો અને ઓછા તપ પર પકાવો, જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે તેને બોટલમાં રાખો. વાળ પર આ તેલ લગાવવાથી માથાના જૂ મરી જાય છે. ધતુરાનું દૂધ છાતી પર લગાડવાથી શ્વાસ અને હ્રદયની બીમારી દૂર થઈ જાય છે. ધતુરાના પાંદડા છાતી અને પીઠ પર અથવા પાંદડાના ઉકાળા સાથે માલિશ કરવાથી ફેફસાંના સોજામાં ફાયદો થાય છે.
જો કૂતરું કરડે છે તો ધાતુરાના પાનના રસમાં લાલ મરચું નાંખીને કરડેલા ભાગ પર લગાવવાથી રાહત મળે છે. ધાતુરાના ફૂલને પીસીને સૂકવી લો અને તેનો ધુમાડો કરો. આમ કરવાથી દમનો રોગ નાશ પામે છે. ધાતુરના પાન પીવાથી ખાંસી પણ સારી થાય છે.
જો આંખોમાં દુખાવો થાય છે, તો પાકેલા ધતુરાના પાનનો રસ અથવા લીમડાના નરમ પાનનો રસ અથવા બંને પાંદડાઓનો રસ ભેળવીને કાનમાં નાખવાથી આંખોનો દુખાવો મટે છે. ધતુરાના પાનને ગરમ કરો અને તેનો રસ કાઢો. આ રસને સતત 15 દિવસ કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.
જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે.

નોંધ: ધતૂરો અત્યંત ઝેરી વનસ્પતિ હોવાથી તેના પ્રયોગો નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ પોતાની જવાબદારીએ કરવા…

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 30 ઓગસ્ટના દિવસે ઉજવાશે રક્ષાબંધન
Next Article કામનાથ મહાદેવ મંદિરેથી વરણાંગી નીકળી: રાસ-ગરબાની રમઝટ બોલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?