યુપી એસટીએફે ગોરખપુરના કુખ્યાત વિનોદ ઉપાધ્યાયની એન્કાઉન્ટરમાં મોત થઇ ગઇ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, ગત રાતે સુલ્તાનપુરમાં એસટીએફ અને માફિયાની વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે, જેમાં પોલીસની જવાબી કાર્યવાહીમાં માફિયા માર્યો ગયો છે. વિનોદ ઉપાધ્યાય પર ગોરખપુર પોલીસે 1 લાખનું ઉનામ આપવાની જાહેરાત કરી હતા. પોલીસે તેમની ધરપકડ ગેરકાયદેસર જમીન કબ્જો કરવા, હત્યા અને હત્યાના પ્રયત્ન સહિત કેટલાય કેસોમાં તપાસ ચાલુ હતી.
વિનોદ ઉપાધ્યાયના પુત્ર રામકુમાર ઉપાધ્યાય મૂળ રૂપથી મયાબાજાર પોલીસ સ્ટેશન મહારાજગેજ, અયોધ્યાના રહેવાસી હતા. ગુનાઓની દુનિયામાં તેમનું મોટું નામ છે અને ઉત્તર પ્રદેશના ટોપ માફિયાના લિસ્ટમાં 61મો નંબર છે. માફિયા વિનોદ કુમાર ઉપાધ્યાય પર એડીજી જોન ગોરખપુરને 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ગુરૂવારની રાતે બદમાશ વિનોદ ઉપાધ્યાય અને એસટીએફના મધ્ય સુલતાનપુરના થાણા કોતવાલી દેહાત ક્ષેત્રમાં ઘર્ષણ થયું હતું.
- Advertisement -
જેમાં વિનોદ ઉપાધ્યાય ગોળી લાગવાથી ગંભીર રૂપથી ઉજાગ્રસ્ત થયો હતો. જેમાં સારવાર માટે તેને મેડિકલ કોલેજ સુલ્તાનપુર ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેમની મૃત્યુ થઇ હતી. અભિયુક્ત વિનોદ ઉપર કુલ 35 મુકદમા વિવિધ જનપદોના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જેમાં હત્યા તેમજ હત્યાના કેટલાય પ્રયત્નો સમાવેશ થાય છે. પ્રદેશના મોટા માફિયાઓમાં વિનોદ ઉપાધ્યાયનું નામ સામેલ હતું. પોલીસ બીજા કાયદાકિય ગતિવિધીમાં જોડાયેલી છે.



