ચૂંટણી જાહેર થતાની સાથે જ હવે રાજકિય પક્ષોએ શક્ર સરંજામ સજાવીને મતદારોને રિઝવવાના પ્રયાસો આરંભી દીધા છે. આમ આદમી પાર્ટીના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારના રોજ રાજકોટમાં આવી રહ્યા હોવાના અહેવાલ સાંપડે છે અને રાજકોટમાં રોડ-શો પણ યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં પણ જવાના હોવાની વાત છે.
ગુજરાતની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા પરિબળ તરીકે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. ગુજરાત પર નિશાન સાધનાર આપ દ્રારા છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી અહીં અવારનવાર આપની રાષ્ટ્ર્રીય નેતાગીરીના ચકકરો, કાર્યક્રમો યોજાતા રહ્યા છે. હવે ચૂંટણી જાહેર થતાં ફલફલેશમાં નેતાઓ ઉતરી પડશે. આમ આદમી પાર્ટીના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કેજરીવાલ રવિવાર અને સોમવારે સૌરાષ્ટ્ર્રની મુલાકાતે નીકળનાર છે જેમાં જેતપુર સહિતના શહેરો ઉપરાંત સૌરાષ્ટ્ર્રના પોલિટિકલ સેન્ટર ગણાતા રાજકોટમાં પણ આવશે.