શ્રી હરિયાગ યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો: ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા સહિતના મહાનુભાવો હાજરી આપશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ગોપીનાથજી ગૌશાળા-ભુપગઢ દ્વારા નિરાધાર ગાયોના લાભાર્થે કસુંબલ લોકડાયરાનું આયોજન તા. 14 ને રવિવારે રાત્રે 9 કલાકે ભુપગઢ ખાતે કરવામાં આવ્યું છે. શ્રી હરિયાગ યજ્ઞ રવિવારે સવારે 7-15 કલાકે અને મહાપ્રસાદનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે તેમજ શ્રીશ્રી 1008 શ્રી મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ અને વિક્રમસિંહ પરમાર સાંજે 4 વાગ્યે પ્રેરક વક્તવ્ય આપશે. આ તકે લોકસાહિત્યકાર અનુભા ગઢવી, શંકરસિંહ સિંધવ અને તેમના સાજીંદાઓ કસુંબલ લોકડાયરામાં તેમનો રંગ જમાવશે. આ તકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, અખિલ ગુજરાત નડોદા રાજપૂત સમાજના પ્રમુખ નારણભાઈ સગર, પૂર્વપ્રમુખ માવજીભાઈ ડોડીયા, જીણાભાઈ ચાવડા, બલદેવસિંહ સિંધવ, રમેશભાઈ ચાવડા, હિંમતસિંહ કટારીયા, ગણેશભાઈ ગોહિલ સહિતના મહાનુભાવો હાજર રહેશે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે જયરાજસિંહ રાઠોડ, બહાદુરસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સિંધવ, રમેશસિંહ ચાવડા, વનરાજસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ આવ્યા હતા.