નુપુર શર્માને દુષ્કર્મની ધમકીઓ આપનારાઓ પર રાસુકા લગાવવાની માગણી કરવામાં આવી
ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય ક્ષેત્રોમાં જુમાની નમાજ બાદ હિંસક ઘટનાઓ જોવા મળી હતી. કાશી ધર્મ પરિષદે શુક્રવારના રોજ આ મામલે બેઠક યોજીને દેશભરમાં બનેલી હિંસાની ઘટનાઓની ટીકા કરી હતી અને તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
કાશી ધર્મ પરિષદ દ્વારા તેઓ નુપુર શર્માની સાથે છે તેવું એલાન કરવામાં આવ્યું છે. સાથે જ નુપુર શર્માને દુષ્કર્મની ધમકીઓ આપનારાઓ પર રાસુકા લગાવવાની માગણી કરવામાં આવી છે. કાશી ધર્મ પરિષદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટૂંક સમયમાં જ સંતો, મહાત્માઓ અને નાગા સાધુઓ આ મામલે એક સંયુક્ત બેઠક યોજશે અને આગળની રણનીતિ તૈયાર કરશે. દેશને બચાવવા માટે સંતો પણ રસ્તાઓ પર ઉતરશે.