કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સી. એમ. જોશીની બનેલી ડિવિઝન બેન્ચે એ-જી શશીકિરણ શેટ્ટીને જણાવ્યું હતું કે બેન્ચ બપોરે 2.30 વાગ્યે આ મામલાની સુનાવણી કરશે.
કર્ણાટક હાઈકોર્ટે એડવોકેટ જનરલને 4 જૂને બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડને કારણે થયેલા મૃત્યુ અંગે રાજ્ય સરકાર પાસેથી સૂચનાઓ મેળવવાનો નિર્દેશ આપ્યો હતો.
- Advertisement -
અહેવાલો અનુસાર, કર્ણાટક હાઈકોર્ટ ગુરુવારે (પાંચમી જૂન) આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી નાસભાગ સંબંધિત કેસની સુનાવણી કરશે. આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ ઊઠાવવામાં આવ્યો છે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, ‘આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે. સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા… (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા… અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.’