સતત એક સપ્તાહ સ્વર, લય અને ભાવમાં રાજકોટવાસીઓને તરબોળ કરશે કલાકારો
રાજકોટને કલા નગરીની ઓળખ અપાવતા અને રાજકોટની શાન સમા નિઓ રાજકોટ ફાઉન્ડેશન પ્રયોજીત
- Advertisement -
ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો શરણાઇ, દુક્ક્ડ, મકરંદિકા ગીટાર, જેમ્બે, પીયાનો, સારંગી, મોહન વીણાની રજૂઆત કલા રસિકોને ડોલાવશે
શરણાઈનો સુર ભારતીય પરંપરા – પવિત્રતાનું પ્રતિક હોય ‘સપ્ત સંગીતિ’ મહોત્સવનો પ્રારંભ શરણાઈવાદનથી થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કલા અને સંસ્કૃતિના પીપાસુ શ્રોતાઓને નિરંતર સાત દિવસો સુધી સુર, લય અને તાલના પ્રવાહમાં તરબોળ કરવાના આશયથી, સામાજીક પ્રવૃતિઓને વરેલી નીઓ રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ’સપ્ત-સંગીતિ-2026’ ની આઠમી આવૃતિના આયોજનની તૈયારીઓ પુરજોશ સાથે શરુ કરી દેવામાં આવી છે. 2026 થી શરુ થતા નવા વર્ષમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તા. 2 થી 8 દરમિયાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંક્તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. દર વર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાત દિવસના 14 સેશન્સમાં અલગ-અલગ કલાના ટોચના કલાસાધકો અને તેમના સહ-કલાકારો સહિત 40 જેટલા કલાકારો કલાની પ્રસ્તુતી કરશે. સાથે જ સપ્ત સંગીતિની પરંપરા અનુસાર બે સેશનમાં કાર્યક્રમો રજૂ કરાશે.
સમાજ સેવા, શિક્ષણ તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને અનોખી રીતે કરી રાજકોટને કલા નગરીની ઓળખ આપવા માટે પ્રયત્નશીલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન વર્ષ 2017 થી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને શાસ્ત્રીય સંગીતના સુર અને તાલથી તરબોળ કરી રહી છે, જેમાં કોરોનાના વર્ષ 2021 અને 2022 દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. જયારે સાત વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ આઠમાં વર્ષમાં સાત દિવસ દરમ્યાન મુખ્ય, સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહીત કુલ 40 થી વધુ કલાકારો શ્રોતાઓને કલાનું રસપાન કરાવશે. આ વર્ષે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોમાં પં. રાજેન્દ્ર પ્રસન્ના, માલીની અવસ્થી, ઉ. સુજાત ખાન, રિતેશ અને રજનીશ મિશ્રા, પં. વિશ્વમોહન ભટ્ટ અને સુ.શ્રી. કૌશિકિ ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે. અગાઉના વર્ષો દરમ્યાન અહીં પધારતા દેશના ટોચના કલાકારો સાથે રાજકોટના કલાપીપાસુઓને મેળવી, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પ્રયાસોના ભાગ રુપે વર્કશોપ અને સેશનના આયોજનો પણ કરવામાં આવ્યા હત્તા, જે અંગે આ વર્ષે પણ પ્રયાસો કરાશે.
સપ્ત સંગીતિની આઠ વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજી, પં. હરિપ્રસાદ ચૌરસિયાજી, બેગમ પરવીન સુલતાના, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, ઉસ્તાદ રશીદ ખાન, સુ.શ્રી. ડો. એન. રાજમ, સુ.શ્રી. શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, શ્રી અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, શ્રી પુરબયાન ચેટરજી, શ્રી ગુંડેચા બ્રઘર્સ, શ્રી રોનુ મજુમદાર, પં. રાકેશ ચોરસીયા, પં. દેબોજયોતિ બોસ, પં. દેબાશિષ ભટ્ટાચાર્ય જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ પ્રાપ્ત કરવાનો મોકો નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.
ભવ્ય અને જાજરમાન રીતે યોજાનાર “સપ્ત સંગીતિ 2026” માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારોના બીજા સત્રની તારીખવાર સુચી આ મુજબ છે: જેમાં તા 02 જાન્યુઆરીના રોજ સમારોહની સુરીલી શરુઆત પંડિત રાજેન્દ્ર પ્રસન્નાજીના શરણાઈ વાદન અને બાંસુરીવાદનથી થશે. શરણાઈનો નાદ પરંપરા અને પવિત્રતાનું પ્રતિક છે અને કલામહોત્સવની શુભમંગલ શરુઆત શરણાઈથી વિશેષ બીજી શું હોઈ શકે! પ્રથમ બાંસુરીવાદનમાં પં. રાજેન્દ્ર પ્રસન્ના સાથે તેમના પુત્ર રાજેશ પ્રસન્ના બાંસુરીમાં સુર પુરાવશે. જ્યારે રાજેન્દ્ર પ્રસન્નાજી સાથે શરણાઈવાદનમાં પં. મંગલ પ્રસાદજીનું દુક્કડ વાદન, રુદ્ર કુમાર અને વિકાસબાબુ દયાલનું સહ શરણાઈ વાદન અને અભિષેક મિશ્રાનું તબલા વાદન માણવા મળશે. તા. 3 જાન્યુઆરીના રોજ પદ્મશ્રી માલિની અવસ્થીના કંઠે ઠુમરી-ગઝલ સાથે પં.ધર્મનાથ મિશ્રા હાર્મોનિયમસંગત અને પં. શુભ મહારાજ તબલામાં સાથ નિભાવશે. સમારોહના ત્રીજા દિવસે તા. 04 જાન્યુ.ના રોજ ઉ. શુજાત ખાનના સિતારવાદન સાથે સપન અંજારિયા અને શારીક મુસ્તફાનું તબલા વાદન માણવા મળશે. તા. 05 જાન્યુઆરીના રોજ પં. રાજન મિશ્રાજીના સુપુત્રો પં. રિતેશ અને પં. રજનીશ મિશ્રાના ગાયન સાથે રાજકોટના જાણીતા બંધુઓ નિરજ ધોળકિયા તબલાવાદનમાં અને પલાશ ધોળકિયા હાર્મોનિયમમાં સાથ આપશે. તા. 06 જાન્યુ. સપ્તસંગીતિના પાંચમા દિવસે પિયાનો, વાયોલિન અને તબલાના સંમિશ્રણથી રચિત ગ્રુપ રસિયા ના કલાકારો દેશમાં પ્રથમ વખત રાજકોટના સપ્તસંગીતિના મંચ પર પોતાની કલા પ્રસ્તુત કરશે. જેમાં ઈશાન રાવનું પિયાનો, યજ્ઞેશ રાયકરનું વાયોલિન અને ઈશાન ધોષનું તબલાવાદન માણવાનો અવસર પ્રાપ્ત થશે. તા. 07 જાન્યુ.ના રોજ પં. વિશ્વ મોહન ભટ્ટની મોહન વિણાનું રસપાન કરવા મળશે જેની સાથે હિમાંશુ મહંત તબલામાં સાથ આપશે. સપ્તસંગીતિના સાતમા દિવસે તા. 08 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત કલાકારા સુ.શ્રિ. કૌશિકી ચક્રવર્તીનો કોકિલ કંઠ માણવાનો અમુલ્ય અવસર પ્રાપ્ત થશે. તેમની સાથે ઉ. મુરાદ અલી ખાનનું સારંગીવાદન, યશવંત વૈષ્ણવનું તબલાવાદન અને મિલીંદ કુલકર્ણીનું હાર્મોનિયનવાદન માણવા મળશે.
આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. કોન્સર્ટના પ્રથમ ચરણમાં આ વર્ષે ફકત આપણા શહેર કે રાજયના જ નહી પરંતુ અલગ-અલગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્ત સંગીતિની લોકપ્રિયતાને પગલે હવે દર વર્ષે અનેક યુવા અને અને દિગ્ગજ કલાકારો રાજકોટમાં કલા પ્રસ્તુતી માટે ઇચ્છા વ્યકત કરી આયોજકોનો સંપર્ક કરે છે, જે રાજકોટ માટે ગર્વની બાબત છે. કલાકારોના પ્રથમ સત્રની તારીખવાર સુચી આ મુજબ છે: જેમાં તા. 03 જાન્યુઆરીના રોજ ગુજરાતના યુવા કલાકારો ચૈતન્ય મહેતા અને વનશ્રી રાવલનું ડયુએટ હાર્મોનિયમ વાદન માણવા મળશે જેમાં તબલામાં ધૈવત મહેતા સાથ નિભાવશે. તા. 04 જાન્યુ. એ ઈશિતા ઉમરાણીયાના ગાયન સાથે યશ પંડયા તબલાવાદનમાં અને સંદીપ વ્યાસ હાર્મોનિયમ ઉપર સાથ આપશે. તા. 05 જાન્યુ. ના રોજ તાલ ત્રિવેણી પર્ક્યુશન ગ્રુપના કલાકારોમાં મહાદેવ પુરોહિતનું તબલાવાદન, અંકુર મદનીનું જેમ્બે અને ધવલ મિસ્ત્રીનું પખવાજવાદન માણવા મળશે તેઓની સાથે જયેશ મકવાણા હાર્મોનિયમમાં સાથ આપશે. તા. 06 જાન્યુ. ના રોજ અભિષેક વ્યાસ દ્વારા ગિટાર વાદ્યમાંથી રચાયેલી મકરંદિકા વિણા કે ગીટાર માણવાનો અવસર મળશે, જેમાં નિશાંત શર્મા તબલા સંગત કરશે. તા. 07 જાન્યુ.ના રોજ ભાવિક માંકડના ગાયન સાથે આકાશ ત્રિવેદી તબલામાં અને અકુલ પાંચાલ હાર્મોનિયમમાં સાથ આપશે. તા. 08 જાન્યુ. સપ્તસંગીતિના સાતમાં અને અંતિમ દિવસે દેશના ખુબ જાણીતા વાદ્યકાર યશવંત વૈષ્ણવનું તબલાનું સોલો પર્ફોર્મન્સ માણવા મળશે તેમની સાથે હાર્મોનિયમ વાદનમાં કલ્પતરુ ઠાકરે જોડાશે.
આ વર્ષે પં. રાજેન્દ્ર પ્રસન્ના, માલિની અવસ્થી, ઉ. સુજાત ખાન, રિતેશ અને રજનીશ મિશ્રા, પં. વિશ્વમોહન ભટ્ટ અને સુ.શ્રી. કૌશિકી ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો મંચ શોભાવશે
જાન્યુઆરી 02 થી 08, 2026 દરમિયાન આયોજીત આ મહા કલાપર્વમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓનું નવુ વર્ષ સંગીત અને કલાથી તરબતર કરી દેશે
આ તમામ કાર્યક્રમો દર વર્ષની માફક સંસ્થાની પરંપરા અનુસાર નિ:શુલ્ક રહેશે, તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશનની વેબ સાઈટwww.saptasangeeti.org પર તા. 04 ડિસેમ્બરના સાંજે 5-00 કલાકથી રજીસ્ટ્રેશન શરુ થશે
આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકો માટે ‘સપ્ત સંગીતિ’ ની વેબસાઈટ ૂૂૂ.તફાફિંતફક્ષલયયશિં.જ્ઞલિ પર તા. 04 ડિસેમ્બર, 2025 ને સાંજે 5-00 કલાકથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સઘળા આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમા સર્વે ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દીપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા, શ્રી અતુલભાઇ કાલરિયા, શ્રી વિનેશકુમાર પટેલ અને શ્રી મનિષભાઈ મદેકા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ ઉપરાંત કોર કમીટીના સભ્યો અને સ્વયંસેવકોની સમર્પિત ટીમ દ્વારા ગત છ વર્ષો દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમો માણવા આવતા કલાપ્રેમીઓની ડિજીટલ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી પ્રવેશ માટેની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. જેના માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકોની તમામ વ્યવસ્થાઓને ખુબ વખાણી છે. ગત વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો સૌરાષ્ટ્રવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે. લોકોના ચરિત્રને ઘડવા અને ઉચ્ચ નૈતિક આચરણને પ્રોત્સાહન આપવા, સંસ્કૃતિનો ફેલાવો તથા જાળવણી માટે “સપ્ત-સંગીતિ” ઉપરાંત નિઓરાજકોટ ફાઉન્ડેશન એક નોટ ફોર પ્રોફિટના ઉદ્દેશ્ય સાથે કંપની રજીસ્ટર્ડ સામાજીક સંસ્થા છે. નિયોરાજકોટ ફાઉન્ડેશન રાજકોટ શહેરમાં શૈક્ષણિક તથા સંસ્કૃતિક બાબતોને વિકસાવી નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવવા 2017 થી પ્રત્નશીલ છે. સંસ્થા દ્વારા કાર્યરત પ્રકલ્પોમાં સેન્ટર ફોર એકસલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરની 24 મ્યુનિસિપલ સ્કૂલોના વર્ગ 1 થી 8 ના 9000 વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી વિષયમાં સંસ્થા દ્વારા પૂરા પાડેલ સોફ્ટવેર, 750 થી વધુ કમ્પ્યુટર લેપટોપ તેમજ 35 થી વધુ શિક્ષકો સહિત સંપૂર્ણ રીતે વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ધોરણ 6 થી 9માં ભણતી વિદ્યાર્થીનીઓ શિક્ષણ સાથે તેના પગભર થાય તે ઉદ્દેશ્યથી કસ્તુરબા બાલિકા વિદ્યાલય-ઊંૠઇટમાં સંસ્થા દ્વારા ક્રાફ્ટ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. શાસ્ત્રીય કલા વારસાની જાળવણીના ઉદ્દેશથી શાસ્ત્રીય સંગીત પ્રચારણ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા વિનામૂલ્યે, મ્યુનિસિપલ શાળાઓના 500 થી વધુ બાળકોને, દેશનો સાંસ્કૃતિક-કલા વારસો જાળવી રાખીને ચરિત્ર ઘડતરના શિક્ષણના ભાગરૂપે, શાસ્ત્રીય ઢબે ગાયન, નૃત્ય, વાદનની પોતાની જ શાળામાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સમાજના જરૂરતમંદ વર્ગના બાળકોને તેમની જ શાળામાં જ જઈને આ પ્રકારની વિનામૂલ્યે તાલીમ આપવાનો વિચાર કદાચ સ્વલ્પ હશે. તેવી જ રીતે ગુજરાત સરકારશ્રી દ્વારા ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ યોજના અંતર્ગત એક સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરે છે. નિઓરાજકોટ ફાઉન્ડેશન આ બાળકોને પરીક્ષાની તૈયારીઓમાં મદદરૂપ બનવા માટે મટિરિયલ સંકલિત કરીને એક પ્રેક્ટિસ પુસ્તક બનાવમાં આવ્યું. આ પુસ્તક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશની તમામ 93 શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં બાળકોને વિના મૂલ્યે આપવામાં આવી, જેના પરિણામે 200 જેટલા બાળકો મેરિટમાં સ્થાન મેળવી સરકારશ્રીની સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવી શક્યા છે. આ ઉપરાંત હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ વોકેશનલ કોર્સ ઈજ્ઞિંઈઅઉ 2ઉ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કરણસિંહજી હાઇસ્કૂલના 120 વિદ્યાર્થીઓ તજજ્ઞો પાસે ઓટોકેડની તાલીમ મેળવી રહ્યા છે. તેવી જ રીતે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન અને મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અહિંસાની કેળવણી કાર્યક્રમ અંતર્ગત નીઓરાજકોટ ફાઉન્ડેશન સાથે મળીને રાજકોટની 10 શાળાના 900 બાળકોને નોન વાયોલન્સ એટલે કે અહિંસાની કેળવણી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણા પ્રકલ્પોમાં સહયોગ આપી નિઓ રાજકોટ ફાઉન્ડેશન પોતાની સેવા સરવણી વહાવી રહ્યું છે.



