By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૉંગ્રેસની ન્યાય પદયાત્રા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > કૉંગ્રેસની ન્યાય પદયાત્રા
અમદાવાદ

કૉંગ્રેસની ન્યાય પદયાત્રા

Khaskhabar Editor
Last updated: 2024/07/06 at 5:51 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

‘કોંગ્રેસની ઑફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું’: રાહુલ ગાંધીનો અમદાવાદમાં હૂંકાર

VHP-બજરંગદળ દ્વારા રાહુલનો વિરોધ

- Advertisement -

મોરબીનો ઝૂલતા પુલકાંડ, રાજકોટ અગ્નિકાંડ, બોટાદ લઠ્ઠાકાંડ, વડોદરા બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા કૉંગ્રેસ મેદાનમાં

સમગ્ર ગુજરાતમાં યોજાનારી ન્યાય પદયાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.6

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુને લઈ કરેલી વિવાદિત ટીપ્પણીથી હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. જેને લઈને અમદાવાદમાં પાલડીમાં 2 જુલાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાને લઈ રાહુલ ગાંધી આજે અમદાવાદ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઊમટી પડ્યા હતા. અહીં તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું, મોદીનો ફુગ્ગો ફૂટી ગયો છે. બાદમાં રાહુલ ગાંધી વડોદરા બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી 3 વાગ્યા આસપાસ દિલ્હી રવાના થયા હતા.

- Advertisement -

ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું સમગ્ર ઘટનાથી વાકેફ છુ. સરકારે આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ. આવનાર સમયમા તમે મને સમગ્ર ખરી માહિતી આપો અમે લોકસભામાં આ મુદો મજબૂતાઈથી ઉઠાવીશું સમગ્ર કોંગ્રેસ પાર્ટી પીડિતોની સાથે છે તમે ચિંતા ના કરતા.

આશા કાથડના બહેન સંતોષ કાથડએ રાહુલ ગાંધીને જણાવાયું કે અમે તમારો આભાર માનીએ છીએ કે તેમને અમને આ રીતે સાંભળો છો. ભાજપ સરકારનો એક નેતા અમને સાંભળતો નથી. અમને આ સરકાર પર ભરોસો છે જ નહીં તમે અમને ન્યાય અપાવો તેવી વિનંતી છે. ત્યારે રાહુલ ગાંધીએ તમામ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવવા બાંહેધરી આપી અને સાંત્વના પાઠવી હતી.

વધુમાં આ ચર્ચા વચ્ચે નક્કી થયું હતું કે, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈની આગેવાનીમાં ગુજરાતની તમામ દુર્ઘટનાઓના પિડિતોને ન્યાય અપાવવા માટે મોરબીથી રાજકોટ, બોટાદ, વડોદરા અને સુરત ન્યાય પદયાત્રા યોજવામાં આવશે અને આ ન્યાય પદયાત્રામાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. રાહુલે ભાજપને લલકારતાં કહ્યું કે તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે 2017માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. રાહુલે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી.

રાહુલ ગાંધીએ અમદાવાદના પાલડી ખાતે કોંગ્રેસના કાર્યાલયે સભાને સંબોધતાં કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.

રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુઓ અંગે નિવદેન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવતા જ ટઇંઙ અને બજરંગદળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ટઇંઙ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને રાહુલના પૂતળા દહન કર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. રાહુલ ગાંધીના પૂતળા દહન બાદ પોલીસ દ્વારા ટઇંઙ અને બજરંગદળના કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવ્યા હતા. ત્યારે બજરંગદળના આગેવાનોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું સંસદની અંદર હિન્દુઓને હિંસક ગણાવતા નિવેદનને વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ કડક શબ્દોમાં નિંદા કરે છે. અને રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માગે તેવી અમારી માગ છે. અને આવનારા સમયમાં જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બજરંગદળ તેમનો આ રીતે વિરોધ કરવામાં આવશે. જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી બજરંગધળનો વિરોધ ચાલુ રહશે.

 

You Might Also Like

AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બે પબ્લિક EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન: બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં

TAGGED: CONGRESS, Rajkot TRP Game Zone fire
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article TRP અગ્નિકાંડમાં અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતી સેશન્સ કોર્ટ
Next Article ઑનિક્સ કંપનીની ગેરકાયદે પવનચક્કીઓ અનેકનો જીવ લઈ લે તેવી દહેશત!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

AMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બે પબ્લિક EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદખાસ-ખબરગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ સ્કૂલને બૉમ્બથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?