ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ સામાજિક સંપર્ક અભિયાન લોકસભા ઇલેક્શન-2024 અનુસંધાને ભારતીય જનતા પાર્ટી રાજકોટ “કમલમ’ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોન સામાજિક સંપર્ક અભિયાન 4-લોકસભા રાજકોટ, જામનગર, કચ્છ સુરેન્દ્રનગર સાથે 8-જિલ્લાઓ રાજકોટ શહેર -રાજકોટ જીલ્લો- પોરબંદર- જામનગર- દેવભૂમિ દ્વારકા- કચ્છ- મોરબી અને સુરેન્દ્રનગર ના પદાધિકારી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા આ બેઠક માં સામાજિક સંપર્ક અભિયાન ઇન્ચાર્જ ચમનભાઈ સિંધવ, ઘનશ્યામભાઈ ગોહિલ દ્વારા આગામી કાર્યક્રમો નું માર્ગદર્શન રૂપરેખા તૈયાર કરાવેલ સાથે તમામ જિલ્લાઓનું સંકલન સુશજ રીતે થાય અને વધારેમાં વધારે સામાજિક સંપર્ક અભિયાનના માધ્યમથી દરેક લોકસભા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબના લક્ષને પૂર્ણ કરવા 5 લાખ + મતોથી જીતી “ફિર એક બાર મોદી સરકાર”, “અબકી બાર 400 કે પાર” ના લક્ષ ને પૂર્ણ કરવા માટે તમામ પદાધિકારીઓ ભારત માતાના જય ઘોષથી આગામી-2024 ઇલેક્શન સફળતા માટે આજથી જ કટિબંધ બનેલ સામાજિક સંપર્ક અભિયાન અનુસંધાને દરેક ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, વોર્ડ, દરેક વિધાનસભા માં રહેતા નાના નાના જ્ઞાતિ પરિવારોને સંપર્ક કરી જૂથ મીટીંગોનું આયોજન કરવામાં આવશે
- Advertisement -
એક વિધાનસભામાં મિનિમમ સામાજિક સંપર્ક અનુસંધાને વધારેમાં વધારે બેઠકો કરવામાં આવશે આ બેઠકોમાં તમામ જ્ઞાતિબંધુઓને આવરી લેવામાં આવશે આ અભિયાનને સફળ બનાવવા તમામ જિલ્લાઓ સામાજિક સંપર્ક અભિયાન સંયોજક-સહસંયોજકો- વિધાનસભા સંયોજક- સહસંયોજક તથા બક્ષીપંચ મોરચાના સંયોજક- પ્રભારી- પ્રમુખ મહામંત્રીઓ- કારોબારી સભ્યો તથા પ્રદેશની ટીમ પૂર જોસ થી કામે લાગી ગયેલ છે આ બેઠકમાં રાજકોટ લોકસભાના સામાજિક સંપર્ક અભિયાનના ઇન્ચાર્જ કિરીટભાઈ પાઠક, બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઈ વાડોલીયા ,મહામંત્રી જે.પી ધામેચા ,મહામંત્રી બાબુભાઈ માટીયા ,મોરબી પ્રભારી રત્નાભાઇ રબારી તેમજ જામનગર કચ્છ સુરેન્દ્રનગર લોકસભા વિરેન્દ્રભાઈ આચાર્ય, કાંતિભાઈ પરમાર, ઓબીસી મોરચા અધ્યક્ષ પ્રદીપભાઈ વસતાણી, મહામંત્રી મનસારામ સાધુ, પોરબંદર લક્ષ્મણભાઈ, પટેલ જામનગર, કૌશલભાઈ રાબડીયા તથા તમામ આઠ જિલ્લાઓમાંથી ઓબીસી મોરચા પ્રભારી,પ્રમુખ, મહામંત્રી ઓ ખાસ ઉપસ્થિતિ રહેલ.