ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલ મહેશ નગરમાં પર્યાવરણ બચાવવાનાં સંદેશ સાથે ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જૂનાગઢનાં પ્રશાંત ચુડાસમા દ્વારા ઇકોફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિનું સર્જન કરીને પર્યાવરણ બચાવવા માટે અનોખી પહેલ કરી છે. ત્યારે મહેશનગરમાં ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ છે. તેમજ વેરાવળમાં 7 ફૂટની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે. તે રામસ્વરૂપે ગણેશજીની મૂર્તિ નિર્માણ કરવામાં આવી છે. જેમાં ખડ, વાંસ અને ન્યુઝ પેપરની પસ્તીનો ઉપયોગ કરીને પર્યાવરણના જતન સાથે ઇકોફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી છે.
જૂનાગઢ યુવા કલાકારે ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ
