દબાણોમાં ઊચ્ચ કક્ષાએ રજુઆત બાદ ધીમી ગતિએ કામગીરી શરૂ
TP સ્કીમ માપણી મુજબ કામગીરી થશે?
- Advertisement -
મોટા બિલ્ડરોએ ઈમ્પેક્ટ ફી ભરીને દબાણોને કાયદેસર કર્યા?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગત ચોમાસાની સીઝનમાં ભયાનક પૂર જેવી સ્થિતિ સર્જાય હતી ત્યારે કાળવા સહીતની નદીઓ ગાંડી તુર થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘુસી જતા ભયંકર ખાના ખરાબી જોવા મળી હતી ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકા સામે વોકળા દબાણ મુદ્દે અનેક ફરિયાદો ઉઠી હતી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત બાદ ખુદ મુખ્યમંત્રીએ ઊંચ કક્ષાએ થી કામગીરી કરવા આદેશ આપતા અંતે તંત્ર દ્વારા વોકળા આસપાસના દબાણો દૂર કરવા અને ઊંડા ઉતારવાની કામગીરી શરુ કરવામાં આવી પણ દબાણો દૂર કરવાની કામગીરીમાં વિરામ કે પૂર્ણ વિરામ ? તેવા સવાલો ઉભા થયા છે.અને એક ને ગોળ અને એક ને ખોળ જેવી નીતિ હોય તેવા પ્રશ્નો લોકો માંથી ઉઠી રહ્યા છે.જૂનાગઢ મનપા તંત્ર સહીત ઊંચ અધિકારી અને પોલીસ કાફલા સાથે કાળવાના વોકળા પરના દબાણો દૂર કરવા શનિવારે કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં ગરીબોના ઝુંપડા તોડીને સંતોષ માની લીધો હોઈ ? તેવું જોવા જોવા મળી રહ્યું છે.
જયારે મુખ્યમંત્રીએ બે વાર જાહેર મંચ પરથી તંત્રને ટકોર કરી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો આદેશ કરવો પડ્યો હતો છતાં હજુ તંત્ર વિચારે છે કે, ક્યુ કાયદેસર છે કે કયું બિન કાયદેસર છે.જગ જાહેર મનપાએ દબાણ કરનારને નોટીશ આપી છે.છતાં હજુ મોટા માથાના દબાણો દૂર કરવા કોની રાહ જુવે છે તેવા સવાલો લોકો માંથી ઉઠી રહ્યા છે. દબાણો માં એક મુદ્દો એ પણ સામે આવ્યો છે કે, જે રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરીને ઇમારતો કાયદેસર થાય છે તો શું તેમાં જે દબાણો થયા અથવા ગેર કાયદેસર બાંધકામો કાયદેસર થઇ ગયા તેવા પણ સવાલો ઉભા થયા છે બીજી તરફ ટીપી સ્કીમ મુજબ માપણી સીટ સરખાવાની કામગીરી હજુ બાકી છે તેના લીધે દબાણ કામગીરી બંધ કરવામાં આવી છે કે શું ? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.હાલ તો માત્ર ગરીબોના ઝુંપડા દીવાલો તોડીને તંત્ર એ સંતોષ માની લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ વોંકળા દબાણ મુદ્દે તંત્રનું મૌન?
જૂનાગઢ માં થયેલ વોકળા દબાણ મુદ્દે અનેક પદાધિકારીને અને અધિકારીને ફોન કર્યા પણ ફોન ઉઠાવાની તસ્દી લીધી નથી ત્યારે દબાણ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે.શું ખરેખર જે ગેરકાયદેસર બિલ્ડીંગો છે તે તંત્ર હટાવી શકશે ખરી કે, પછી ફરી નવી નવી વાતો સાથે કામગીરી આટોપી લેવાશે તેવા સળગતા પ્રશ્નો સાથે લોકો સવાલો કરી રહ્યા છે.જયારે મનપા 1 મીટર રોડ બનાવે તો ફોટા સાથે વાહ વાહ કરવા દોડી જાય છે પણ ડીમોલેશન કામગીરી મુદ્દે મૌન જોવા મળે છે.
- Advertisement -