કૃષિ યુનિ.માં સાંજે ભજન સંધ્યાનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં શુક્રવારે ભક્ત કવિ નરસિંહ મહેતાની 584મી તપ પ્રયાણ જયંતિની ઉજવણી કરવામાં આવશે. ગિરી તળેટી અને કુંડ દામોદરથી પ્રેમ ભક્તિની કાવ્યધારા વહેતી કરનાર અને જેમના તમામ સુખ અને દુ:ખમાં શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ સાથે રહ્યા હતા તેવા ભક્ત રાજ, સંત શિરોમણી અને ગુજરાતી ભાષાના આધ્યકવિ નરસિંહ મહેતાની શુક્રવારે 584મી તપપ્રયાણ જયંતિ છે.ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ઉજવણી કરવામાં આવશે. 8 એપ્રિલ- શુક્રવાર, સાંજના 5:30 વાગ્યે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલમાં ભજન સંધ્યા યોજાશે જેમાં હિતેશ્વ નાણાવટી અને કલાવૃંદ ભજનો રજૂ કરશે.કાર્યક્રમના સમારંભ અધ્યક્ષ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદી રહેશે અને મુખ્ય મહેમાન તરીકે મનપાના કમિશ્નર રાજેશ તન્નાની ઉપસ્થિતી રહેશે. જ્યારે અતિથી વિશેષ તરીકે મેયર ગીતાબેન પરમાર, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એન.કે. ગોટીયા રહેશે. ત્યારે જૂનાગઢના નરસિંહ પ્રેમીઓને ભજન સંધ્યાનો લાભ લેવા શશીનભાઇ નાણાંવટી અને ડો. મયંક સોનીએ જણાવ્યું છે.