જૂનાગઢ મહાનગર વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા અધિકરીઓ અને કાયર્કરોનો એક અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ જેમાં બેઠકની શરૂઆત સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખ તેમજ જૂનાગઢ મહાનગરના પાલક ચંદુભાઈ રૈયાણી, મહાનગરના અધ્યક્ષ ભરતભાઇ ભીંડી, મહાનગરના ઉપાધ્યક્ષ આશાબેન શ્રીવાસ્તવ, મહાનગરના મંત્રી જયેશભાઇ ખેસવાણી દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં માતૃ શકિત સહ સંયોજીકા રાધીકાબેન ચુડાસમા દ્વારા વર્ગ ગીત અને માતૃ શકિત સંયોજીકા બિંદુબેન મારૂ દ્વારા આચાર પદ્ધતિ મુજબ બેઠકની શરૂઆત કરવામાં આવેલ, સહમંત્રી દેવલભાઇ ગોંધીયા, સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા દ્વારા કાર્યકર્તાના ગુણ, આગામી કાર્યક્રમો, આવનારા વર્ગો અને સંગઠનની વાત કરેલ.
ત્યારબાદ ભોજન પછીના સત્રમાં જૂનાગઢ મહાનગરના મંત્રી જયેશભાઇ ખેસવાણી દ્વારા કાર્યકર્તાના ઘડતરની અને મહાનગરમાં ચાલતા સેવા અને સત્સંગના પ્રકલ્પોની ચર્ચા કરેલ અને અંતમાં જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ભરતભાઇ ભીંડી દ્વારા સમાપન કરવામાં આવેલ. અને જુનાગઢ મહાનગરમાં પરિષદના કાર્યોનો વ્યાપ હજુ વધારવામાં આવશે એવા સંકલ્પ સાથે બેઠક ની પૂર્ણાહુતિ થઈ હતી. આ સંપૂર્ણ બેઠકની જહેમત જૂનાગઢ મહાનગર સહ મંત્રી નીતિશભાઇ ભાલુ, સહ મંત્રી વિપુલભાઇ રાવત, સત્સંગ પ્રમુખ નથુભાઈ આહીર, દિપભાઇ ભટ્ટ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.