ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ એસટી વિભાગે તણાઈ ગયેલા 4000 થી વધુ ટાયરોને જુનાગઢ શહેરના રસ્તા પરથી એકત્ર કરવા અન્ય જિલ્લામાંથી ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટાયરોની સાથે જઝ વર્કશોપમાં સ્ક્રેપ, ઓઈલના 80 બેરલ પણ પૂરના પાણીમાં તણાયા હતાં.
ગિરનાર પર પડેલા ભારે વરસાદના કારણે પાણીના પ્રચંડ પ્રવાહથી જૂનાગઢના મોતીબાગ નજીક વર્કશોપનો માલ સામાન તણાઈ ગયાના પ્રાથમિક અહેવાલ છે. જૂનાગઢ એસટી વિભાગના 4000થી વધુ ટાયર, સ્ક્રેપ તેમજ 80 જેટલા ઓઇલના બેરલ તણાઈ ગયા છે. મોતીબાગથી ટીંબાવાડી સુધીના મુખ્ય માર્ગ પર તેમજ આસપાસની સોસાયટીમાં ટાયર એકત્ર કરી રસ્તા ખુલ્લા કરવા માટે રાત્રે એસટી વિભાગે વેરાવળ સહિતના ડેપો માંથી ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે.
- Advertisement -
એસટી વિભાગના અધિકારી મિકેનિક એન્જિનિયરે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં નવ ટૂક ટાયર એકત્ર કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં હજુ ટાયર એકત્ર કરવાની કામગીરી ચાલુ છે.
એસટી વર્કશોપ માંથી અન્ય સામાન પણ તણાઈ ગયો છે. તાત્કાલિક ટાયર એકત્ર કરવાની અને રસ્તા ખુલ્લા કરી ટ્રાફિક વ્યવહાર શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીમાં પોલીસ મહાનગરપાલિકા અને ક્ષયર બ્રિગેડની ટીમ પણ જોડાઈ છે.
એસટી વિભાગ દ્વારા ગઈકાલે તણાઈ ગયેલા 4000થી વધુ ટાયરોને એકત્ર કરવા અન્ય જિલ્લાઓમાંથી ટીમો બોલાવી કામગીરી શરૂ કરી હતી.