બંને વેપારીઓ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમ પ્રકાશની સૂચના અનુસાર શહેરમાં રખડતા ઢોર તેમજ અનધિકૃત રીતે જાહેરમાર્ગો ઘાસચારો વેચનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા આદેશ મળતા મનપા કેટલ પાઉન્ડ શાખાના સુપરવાઈઝર રાજેશ પરમાર તેની ટિમ દ્વારા શહેરમાં ચેકીંગ હાથધર્યું હતું.
- Advertisement -
આ ચેકીંગ દરમિયાન સરગવાડા વિસ્તારના મુખ્ય માર્ગ પર રહીમ હાજી નોયડા ઢોરને ખવડાવવાનો ચારો તેની બોલેરો ગાડી નંબર જીજે 12 એટી 1857 માં ઘાસચારો વેંચતા હતા એજ રીતે શહેરના ધારાગઢ રોડ પરના ભરડાવાવ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અરુણ રાઘવભાઈ મોકરિયા પશુને ખાવાનો ચારો તેની ગાડી નંબર જીજે 32 ટી 2063 માં ઘાસચારો વેંચતા હતા ત્યારે મનપા દ્વારા બને વેપારીઓ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ લેખિત રજીસ્ટરે લઈને ફોજદારી અને પોલીસ રાહે કાર્યવાહી કરવા માટે એફઆઇર દાખલ કરવામાં આવી હતી અને હજુ મનપા દ્વારા આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે એમ એક યાદીમાં જણાવાયું છે .