કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ટાઉનહોલ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મંત્રીના હસ્તે લાભાર્થીઓને સહાય, ચેક, પરિચય બોર્ડ, ડિજિટલ ટ્રાન્જેક્શન, ક્યુઆર કોડનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન સમાજ જીવન ઠપ હતું. ધંધા રોજગાર બધું બંધ હતું. એવા સંજોગોમાં સમાજના છેવાડાના માનવીની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી. ત્યારે તેની સંવેદનાનો પડઘો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ ને પહોંચ્યો હતો. અને તેમને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે પીએમ સ્વનિધિ યોજના બહાર પાડી હતી. ગરીબ ધંધાર્થીઓ પોતાનો ધંધો કરી શકે પ્રગતિ કરે અને સ્વર નિર્ભર બને અને સ્વનિધિથી સમૃદ્ધિ તરફ આગળ વધે એ કલ્પના વડાપ્રધાન શ્રી ની સાકાર થઈ છે.આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 10,000 તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને બીજા તબક્કામાં 20,000 સુધી અને ત્રીજા તબક્કામાં 50,0000 સુધી વર્કિંગ કેપિટલ લોન સિક્યુરિટી વિના બેંકો મારફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ લોન મેળવનાર અને નિયમિત હપ્તા ભરનાર તમામ લાભાર્થીઓને વ્યાજમાં સાત ટકા સબસીડી નો લાભ પણ સરકાર તરફથી આપવામાં આવે છે.
PM સ્વનિધિ યોજના હેઠળ લૉન આપવામાં રાજ્યમાં જૂનાગઢ અગ્રેસર
