શહેરના પ્રાણ પ્રશ્ર્નો સંબંધિત ચર્ચા કરશે
આંતરરાષ્ટ્રીય ટુરિઝમ ક્ષેત્રે જૂનાગઢને સ્થાન અપાવવા પ્રબુદ્ધ નાગરિકો એક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાસ ખબર લોકોના પ્રાણ પ્રશ્ર્ન અથવા સમસ્યાને હંમેશા સેહ શરમ રાખ્યા વગર સમાચારો પ્રસીઘ્ધ કરે છે ત્યારે આજથી શહેરના પ્રાણ પ્રશ્ર્નો માટે બનેલ જૂનાગઢ હીત રક્ષક સમીતી દ્વારા મહાનગર પાલીકાના સત્તાધીશોને અને તંત્રને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય સંજય કોરડીયાના માધ્યમથી પ્રશ્ર્નાવલી મોકલવાનો નિર્ણય કર્યો છે .તે તમામ પ્રશ્ર્નો ક્રમશ ખાસ ખબરમાં મનપા અધ્યાય 1 આજથી જોવા મળશે. જૂનાગઢ હિત રક્ષક સમિતિએ સંપૂર્ણ પણે બીનરાજકીય અને જૂનાગઢનું હિત જેને હૈય છે તેવા પ્રબુઘ્ધ નાગરિકોની બનેલી સમીતી છે.
આ સમીતીનો હેતુ જૂનાગઢને સવોત્તમ શહેર બનાવવાની અને આંતરરાષ્ટ્રીય ટુરીઝમમાં જૂનાગઢને સ્થાન આપવા માટે ભેગા થયેલા પ્રબુઘ્ધ નાગરિકો અવાર-નવાર જૂનાગઢના પ્રાણ પ્રશ્ર્નો સબંધે ચર્ચા કરે છે અને તે બાબતે જુદા જુદા પ્રશ્ર્નોનું સંકલન કરીને જૂનાગઢ હિત રક્ષક સમિતીના નેજા હેઠળ વહીવટી તંત્રને અને ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાને આપવાનું નકિક કરેલ છે અને થોડા દિવસથી ગૃપમાં જૂનાગઢના પ્રાણ પ્રશ્ર્નો સબંધે સભ્ય પાસેથી આ પ્રશ્ર્નો મંગાવાયેલા હતા. જૂનાગઢ શહેરમાં 11 જેટલા ગરનાળા રેલવે તંત્ર દ્વારા ઠોકી બેસાડવામાં આવતા તે અંગે પણ લોક લાગણી જાગૃત કરેલી છે પરંતુ હજુ પાયાના પ્રશ્ર્નો એમ ને એમ છે અને આથી જુનાગઢ હિત રક્ષક સમિતી દ્વારા વહીવટી તંત્ર અને કોર્પોરેશનને આ પ્રશ્ર્નનાવલી મોકલેલ છે ખરી હકિકતે જૂનાગઢના ચૂંટાયેલા બધાજ નગર સેવકોને રેલવેના ગરનાળા સબંધે તથા જૂનાગઢના પ્રશ્ર્નો સબંધે જનતા અદાલતમાં બોલાવવા માટે બધાને વ્યક્તિગત પત્ર લખેલો હતો. પરંતુ કોઇએ જવાબ પાઠવવાનું સૌજન્ય પણ દાખવેલ નથી.
જનતાની અદાલતમાં જો મહાનગરપાલિકાના પદાધિકારી જો આવેલા હો તો સમગ્ર શહેર જોઇ શકે તે રીતે મિડીયાની હાજરીમાં પ્રશ્ર્નો પુછી શકાત પરંતુ કોઇ પ્રત્યુતર મળેલ નથી અને છેવટે જૂનાગઢ હિત રક્ષક સમિતીએ જૂનાગઢના એમ.પી.રાજેશભાઇ ચુડાસમા તથા ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાના માઘ્યમથી વહીવટી તંત્ર અને કોર્પોરેશનના પદાધિકારીઓને આ પ્રશ્ર્નાવલી મોકલવાનું નકી કરેલ છે અને આ બંને પદાધિકારીઓ અમોને ખાત્રી આપેલ છે કે, આ બધા જ પ્રશ્ર્નોનો ચોકકસ પણે કા:તો ઉકેલ થશે અથવા તો સંતોષ કારક બજવા પાઠવવામાં આવશે. આથી જૂનાગઢ હિત રક્ષક સમિતી વતી જૂનાગઢના મુખ્ય પ્રશ્ર્નો અને હિત રક્ષક સમિતિના સભ્યોએ જે જે પ્રશ્ર્નો મોકલાવેલ છે તે આ સાથે રજૂ કરેલ છે અને આશા રાખીએ કે જૂનાગઢના વહિવટી તંત્ર અને મહાનગરપાલિકાના નવા નિમયેલા કમિશ્નર તથા પદાધિકારીઓ તેનો સાનુકળુ પ્રત્યુતર આપશે.
- Advertisement -
જૂનાગઢ હિત રક્ષક સમિતિના પ્રાણ પ્રશ્ર્નો ક્રમશ:…