By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    2 days ago
    અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ
    2 days ago
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    3 days ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    3 days ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુ:ખે છે: ઙખ મોદી કાશીમાં
    2 days ago
    અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર: સુપ્રીમ કોર્ટ
    2 days ago
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરનો સામાન પડી જવાથી નાસભાગ.. સરકારનો ખુલ્લાસો
    2 days ago
    હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
    2 days ago
    જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સેનાએ કહ્યું કે “ઓપરેશન અખાલ” ચાલુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    4 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    5 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    7 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    2 days ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    2 days ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    3 days ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    3 days ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    2 days ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    2 days ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    3 days ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    6 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    7 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    6 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢને મળી હતી 9 નવેમ્બર 1947નાં આઝાદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જૂનાગઢને મળી હતી 9 નવેમ્બર 1947નાં આઝાદી
Author

જૂનાગઢને મળી હતી 9 નવેમ્બર 1947નાં આઝાદી

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 2:43 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ઉપરકોટનાં કિલ્લા ઉપર લહેરાયો હતો

ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આન,બાન, અને શાન સમા તિરંગાના સન્માન અને દેશ બાંધવોમાં રાષ્ટ્રપ્રેમ વધુ બળવતર બને તેવા સુભાશય સાથે હર ઘર તિરંગા અભિયાન છેડ્યું છે. આ માટે લોકોનો અપ્રતિમ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ જૂનાગઢના સંદર્ભમાં તિરંગો લહેરાવવાની વાત જરા જુદી છે. ભારતની આઝાદીનો 15 ઓગસ્ટ 1947ના રોજ સૂરજ ઉગ્યો. ત્યારે જૂનાગઢ રાજ્યમાં ચહલ-પહલ જુદી હતી.જૂનાગઢ 9 નવેમ્બરનાં આઝાદ થયું હતું. આ અંગે નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર-ઈતિહાસકાર ડો. વિશાલ જોશી કહે છે કે, તે સમયના નવાબ મહોબતખાન ત્રીજાના ભોપાલના બેગમ અને નવનિયુક્ત દિવાન શાહનવાજ ભુટ્ટો ઉપરાંત અન્ય કેટલાક કોમી તત્વોની ચઢામણીના લીધે જૂનાગઢની પ્રજાની ભાવનાને અવહેલના કરી નવાબ પાકિસ્તાન સાથે જોડાણ કરવા માટે રાજી થઈ ગયા હતા.આમ, ભારતને આઝાદી મળી ગઈ, પરંતુ જૂનાગઢની પ્રજા એક અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી હતી. જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી ત્યારથી જૂનાગઢ રાજ્યમાં નાગરિકોમાં ભય અને દ્વિધા અનુભવતા હતા. તો કેટલાક નાગરિકો તો જૂનાગઢ રાજ્યના સીમાડા છોડી રહ્યા હતા. તેવી સ્થિતિમાં સોરઠના સંતો આગળ આવ્યા હતા.

- Advertisement -

મૈયારામ આશ્રમના મૈયારામ બાપુ, આલિધ્રાના બ્રહ્મચારી બાપુ અને મહંત વિજયદાસજી બાપુએ હિજરત કરી રહેલા લોકોને જીવના જોખમે આશરો આપવાની સાથે રક્ષણ અને પોષણ આપ્યું હતું.ડો.જોશી કહે છે કે, જૂનાગઢ રાજ્યમાં ઉથલપાથલ ભરેલી ઘટનાઓનો મજેવડી દરવાજો સાક્ષી રહ્યો છે, જૂનાગઢ હવેલીના મુખ્ય પુરુષોત્તમ લાલજી મહારાજ છુપા વેશે મજેવડી દરવાજેથી રાજકોટ પહોંચતા હતા અને જૂનાગઢની દયનીય સ્થિતિ અંગે શામળદાસ ગાંધી, જામ સાહેબ વગેરે નેતાઓને વાકેફ કરતા હતા.જૂનાગઢની આઝાદીનો ઘટનાક્રમ તો બહુ મોટો છે, મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ માધવબાગમાં મળેલી સભામાં આરઝી હકૂમતની રચના થઈ. તેનું પ્રમુખપદ શામળદાસ ગાંધીને સોંપવામાં આવ્યું.આરઝી હકૂમતના અન્ય મંત્રીઓમાં દુર્લભજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, સૂરગભાઈ, મણિલાલ દોશી અને નરેન્દ્ર નથવાણીનો સમાવેશ કરવામાં આવ્યો. પાછળથી આ મંત્રીમંડળમાં પુષ્પાબેન મહેતાને પણ સમાવવામાં આવ્યા.આ લડતમાં લોક સેનાના સર સેનાપતિ રતુભાઈ અદાણી, ઉપરાંત ઢેબરભાઈ દરબાર ગોપાલદાસ દેસાઈ, રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી, મોહનલાલ મહેતા, ચીમનલાલ શાહ, ગોકુળદાસ ગગલાણી સહિત અન્ય નામી અનામી લોકો આગેવાનોનું ખૂબ મહત્વનું પ્રદાન રહ્યું છે.

આરઝી હકૂમતે રાજકોટમાં જૂનાગઢ રાજ્યની સત્તાનું સુકાન સંભાળ્યું. સૌ પ્રથમ જૂનાગઢ રાજ્યનું રાજકોટ ખાતેનું જૂનાગઢ હાઉસ કબજે કર્યું. ત્યારબાદ તબક્કાવાર કુંકાવાવ નજીકના અમરાપુર, ગાધકડા, નવાગઢ, કુતિયાણા સહિતના આરઝી હકુમતે ગામડાઓ સર કર્યા અને ગામે ગામ આરજી હકૂમતનો ઢંઢેરો પીટાવવા લાગ્યો. જેથી નવાબ જૂનાગઢ છોડી પાકિસ્તાન નાસ્યાં.અંતે 8 નવેમ્બર 1947ના રોજ દિવાન ભુટ્ટોએ હાર માની જૂનાગઢ છોડી, જૂનાગઢનો કબજો લેવા ભારત સરકારને અરજ કરી. રાજકોટના પ્રાદેશિક કમિશનર નિલમ બુચને પણ પત્ર લખ્યો. શામળદાસ ગાંધીને પણ જાણ કરવામાં આવી. 9મી નવેમ્બરના પ્રાદેશિક કમિશનર નીલમભાઈ બુચ અને ડિફેન્સ ફોર્સના કમાન્ડર ગુરુ દયાલસિંગ પોતાના જવાનો સાથે જૂનાગઢ આવી પહોંચ્યા. આમ, કેપ્ટન હાર્વે જોન્સ અને જૂનાગઢના સેક્રેટરી પાસેથી નિલમભાઈ બુચે જૂનાગઢનો ચાર્જ સંભાળ્યો.આરઝી હકૂમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી સહિતના નેતાઓનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરાયું. શામળદાસ ગાંધીએ ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા પર આરઝી હકૂમતના આગેવાનો
અને લોકસેનાની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર ધ્વજ -તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

- Advertisement -

(લેખ- રોહિત ઉસદડ)

You Might Also Like

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

ચાણક્યની સાચી સમજ

TAGGED: independence, junagadh, NATIONALFLAG
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંભળી છે કોઈ દિવસ સત્યનારાયણની કથા અંગ્રેજીમાં, નહીંને? તો આજે સાંભળો વાયરલ વીડિયોમાં
Next Article વંથલી પંથકનાં ત્રણ શિક્ષિત યુવકોએ મળીને મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ
ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી
5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી
રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન
ટી.એન. રાવ કોલેજમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી: ‘ચેરિટી કેન્ટીન’ દ્વારા ઝનાના હોસ્પિ.માં બેડશીટનું દાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

હાસ્ય: જીવનનું ફૂલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?