ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આઝાદ ચોક, જૂનાગઢ ખાતે તા.20, 21 અને 22, ત્રણ દિવસીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જૂનાગઢનાં ઘરેણાં સમાન શ્રી સુખાનંદી બાપુનાં સદગુરૂ ધુન – કિર્તન મંડળ દ્વારા ત્રણે દિવસ પ્રભુ શ્રી રામનાં ચરણોમાં ભક્તિરસ પીરસવામાં આવશે. આ તકે જાહેર જનતાએ ત્રણે દિવસનાં કાર્યક્રમોનો લહાવો લઈ અને ભક્તિરસપાન કરવામાં આવ્યું હતું સાથે શ્રી રામ પ્રસાદના આયોજનનો લાભ લીધો હતો.
જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
