સરદારધામના ઉપપ્રમુખ પર PI પાદરિયાનો ખૂની હુમલો
મને અવાર-નવાર ધમકી આપી સરદારધામમાંથી રાજીનામું આપવા દબાણ કરે છે: જયંતિભાઈ સરધારા
- Advertisement -
ખોડલધામે સરધારાના આક્ષેપો નકાર્યા
જયંતી સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરિયા સામે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના ઙઈં સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે, આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે.
- Advertisement -
તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર ઙઈં સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. જૂનાગઢ એસઆરપી રિજિયન ઙઈં સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રિના સમયે કણકોટ મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટ બહાર જ ઙઈં પાદરિયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને “હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી હોવાનો ઋઈંછમાં ઉલ્લેખ કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે આરોપી પાદરિયાએ મને સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે તેમ કહીં અપશબ્દો આપી માથાના ભાગે પિસ્તોલ જેવા કોઇ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે હાલ રાજકોટ તાલુકા પોલીસે બી.એન.એસ. કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી એસીપી બી.જે.ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જયંતીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે, તેઓ મને અવારનવાર ધમકી આપે છે. હું માત્ર મારી સેવાકીય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપું છું. અને સેવકાર્યો માટે હું ખોડલધામમાં પણ જાઉં છું. મને કહ્યું કે જાનથી મારી નાખીશ, તું સરદારધામમાંથી રાજીનામું આપી દે. એવું પણ કહે છે કે તમે કડવા પટેલના ખોળે બેસી ગયા છો. અને તમને ભાજપની હવા છે. હું તો એવું ઇચ્છતો હતો કે, બંને સંપીને સેવાકીય કાર્યો કરે. મારા માથે રિવોલ્વરનો પાછળનો ભાગ માર્યો પછી રિવોલ્વર માથે મૂકીને કહ્યું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. ત્યાં બે લોકો આવી ગયા હતા. ખોડલધામને સરદારધામ ગમતું નથી તેવું સ્પષ્ટ લાગે છે. મને કહ્યું કે તું હમણાં બહુ હાઇલાઇટ થઈ રહ્યો છે. અમે નક્કી કર્યું છે કે તને મારી જ નાખવો છે. તેણે મને કહ્યું હતું કે મેં અને નારેશભાઈએ નક્કી કર્યું છે કે તને મારી નાખવો છે. એટલે તેણે નરેશભાઈના ઈશારે જ હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.
જયંતીભાઈના કઝીન મનસુખભાઈ સરધારાએ મીડિયાને જણાવ્યું કે, બંને લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. જયંતીભાઈ ત્યાંથી બહાર જવા નીકળ્યા ત્યારે સંજયભાઈ પાદરિયા નામના પીઆઇ તેમની રાહ જોઈ ઊભા હશે. તેમણે હથિયાર વડે માથામાં ઓચિંતો હુમલો કર્યો હતો. જેને લઈને જયંતીભાઈને ચક્કર આવી જતા તેઓ બેભાન થઈને પડી ગયા હતા. બાદમાં તેમને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલો કયા કારણે થયો તે તો જયંતીભાઈને જ સાચી ખબર હશે.
PI સંજય પાદરિયાએ કાર આંતરી રિવોલ્વર જેવાં હથિયારથી હુમલો કરતાં સમાજ અગ્રણીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી: લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા,
હાલ તબિયત સુધારા પર સમાજના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યાં
‘તું સમાજનો ગદ્દાર છે, તે સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ’
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું એક પ્રસંગમાં કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે ગયો હતો. જ્યાં પી.આઈ. સંજય પાદરિયા પણ હાજર હતો. હું ત્યાં પહોંચ્યો એટલે પી.આઈ. પાદરિયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદ્દાર છે. તેં સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. આવું કહી મારા ઉપર હુમલો કર્યો હતો અને હું પડી જતા મને ફરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
નરેશ પટેલની સંડોવણી હોઈ જ ન શકે- ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા
સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર હુમલાની ઘટના મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી. અમારા પ્રમુખ નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસ પર છે અને તેમને પણ આ ઘટનામાં દુ:ખ વ્યક્ત કર્યું છે. નરેશભાઈ પટેલ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ અને જયંતીભાઈ સરધારાને પણ મળશે. નરેશ પટેલની સંડોવણી આવી ઘટનાઓમાં હોઈ જ ન શકે. બંન્નેનો અંગત બાબતમાં ઝઘડો થયો છે. ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કઈ જ લેવાદેવા નથી. ખોડલધામ અને સરદારધામ બંને સેવાકીય સંસ્થા છે. નરેશ પટેલ કોઈના દુ:ખમાં સહભાગી બને છે, આવી બાબતમાં તેમનું નામ લેવું વાજબી પણ નથી.
હજુ સુધી PI સંજય પાદરિયાની ધરપકડ બાકી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જયંતીભાઈ સરધારાની ઙઈં પાદરિયા અગાઉથી રાહ જુએ છે અને તેમના આવતાની સાથે જ તેમને ગાડીમાંથી બહાર બોલાવી ગાડી પાછળ લઇ જઇ પછી તેના પર હુમલો કરે છે. જો કે આ મામલે હજુ આ લખાય છે ત્યારે બપોરે 2.30 કલાક સુધી પી.આઈ. સંજય પાદરિયાની ધરપકડ કરવામાં આવી નથી.