મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુની ઉપસ્થિતિમાં સમાધિ અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકાના વીજણ ગામે વિધ્યવાસી ધામ મંદિરના પૂજારી જવેરબેન જેઠીગીરી ગોસ્વામી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા છે તેઓ પૂજ્ય મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુના શિષ્ય હતા. ઋષિ પંચમીના દિવસે બ્રહ્મલીન થયા છે. માનવસેવા એ જ પ્રભુ સેવામાં તેઓ માનતા હતા અને નાની ઉંમરમાં જ તેઓ લોક સેવાને ધર્મ માનતા હતા. ઇન્દ્રભારતી બાપુની ઉપસ્થિતિમાં પાલખીયાત્રા નીકળી હતી અને સાંજે વિધ્યવાસી ધામના પરિસરમાં જ તેઓને સમાધિ અપાય હતી. જેમાં બહોળી સંખ્યામાં સંતો- મહંતો અને ભક્તજન જોડાયા હતા.