કરણ જોહરની પસંદગીથી લોકો નારાજ, કોઈ સારા એક્ટર જ નથી મળતા કે શું
બોલિવૂડના ચાહકોમાં જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા પરમ સુંદરીમાં સ્ક્રીન સ્પેસ શેર કરવા માટે તૈયાર છે તે વાતની ખૂબ જ ખુશી છે. ફિલ્મના ટીઝરથી પહેલાથી જ ઘણી ચર્ચા થઈ ગઈ છે, ચાહકો તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
પરંતુ એવું લાગે છે કે જાહ્નવી કપૂરનું કામ હજુ પૂરું થયું નથી. સૂત્રો કહે છે કે તે રાજ મહેતાની આગામી ફિલ્મ ‘લગ જા ગલે’ માટે ટાઇગર શ્રોફ સાથે હાથ મિલાવી રહી છે, જેનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે. આ તેમનો પહેલો સહયોગ હશે, અને સૂત્રો કહે છે કે બંને કલાકારો સ્ક્રિપ્ટ સાંભળતાની સાથે જ સંમત થઈ ગયા હતા.
આ જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર નેટયૂઝર્સ દ્વારા પસ્તાળ પાડવામાં આવી હતી. લોકોએ કહ્યુેં હતું કે કરણ જોહરે સ્ટાર્સ ફેમિલી સિવાયના એક્ટર્સ પર પણ નજર દોડાવવી જોઈએ. કેટલાકે લખ્યું હતું કે જાહ્નવી કે ટાઈગર બેમાંથી કોઈને પણ એક્ટિંગ આવડતી નથી.
એટલિસ્ટ એક કલાકાર તો એવા લેવા હતા કે જે સારી એક્ટિંગ કરતા હોય.
- Advertisement -