ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના છેવાડા રણકાંઠા વિસ્તારમાં વઢિયાર પંથકમાં હર હમેશ જરૂરિયાત મંદ લોકો સુધી સેવાની સુવાસ ફેલાવનાર જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા છેવાડાના રણ કાંઠા વિસ્તારમાં ખુલી જગ્યામાં રહેતા પરિવારોને ગરમ ધાબળા નું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.
વઢિયાર પંથકમાં હર હંમેશા જરૂરિયાત મંદ પરિવારોને કરિયાના કીટ,મેડીકલ સેવા, ભોજન,પાણીની ટાંકીઓ, ટેન્કર મારફતે પાણી, સ્કૂલના બાળકોને સ્વેટર,તહેવારોમાં મીઠાઈ સહિતની અનેક સેવાઓ જરૂરિયાત મંદ પરિવારો સુધી પહોંચાડી વઢિયાર પંથકમાં ખુબજ ઉમદા કામગીરી કરનાર જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ તેમની ટીમ દ્વારા રણકાંઠા વિસ્તરમાં રહેતા પરિવારોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું પરિવારોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
જીજ્ઞાબેન શેઠ હર હમેશા જરૂરિયાત મંદ પરિવારોની પડખે રહી સેવાના યજ્ઞની સુવાસ પરિવારો સુધી પહોંચાડતા પરિવારોએ જિજ્ઞાબેનને અંતરથી આશીર્વાદ આપ્યા હતા.