ક્ષમા વિરસ્ય ભૂષણમ્
‘સમાજનાં આગેવાનો – ધર્મગુરુઓ સામે રૂપાલા જો ક્ષમા માંગે તો તેમને માફ કરવા જોઇએ!’
- Advertisement -
રૂપાલા બે વખત માફી માંગી ચૂક્યા છે, આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો અવસર : જામ સાહેબ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
પરસોતમ રુપાલા સામેના વિવાદના મુદ્દે જામનગરના જામ સાહેબનું અગત્યનું નિવેદન આવ્યું છે. હવે તેમનો નવો પત્ર સાર્વજનિક થયો છે જેમાં જામ સાહેબે જણાવ્યું છે કે રુપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓ સામે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.
- Advertisement -
જામનગરના જામ સાહેબે વધુ એક પત્ર લખીને જણાવ્યું છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ. મારા ધ્યાન પર આવ્યું છે કે પરસોતમ રુપાલાએ પહેલા બે વાર માફી માગી લીધી છે પણ આટલું પુરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ. ફરી એકવાર રુપાલા આ પ્રમાણે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.