જૈનમ્ રાસોત્સવની વિવિધ કમીટીઓની જાહેરાત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ગત તા.14 નાં રોજ જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં મધ્યસ્થ કાર્યાલયનું જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બ્ોનાણી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ટીમ જૈનમ્ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે કાર્યાલય ખાતે નયનરમ્ય રંગોળીઓ સાથે સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટકશ્રીએ રીબીન કાપીને કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દિપ પ્રાગટ્ય કરી શુભ કાર્યની શરૂઆત કરી હતી. ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત શૈલેન શાહએ કરેલ હતું. ડો. પારસભાઈ શાહ એ તમામ જૈનમ્નાં કમીટી મેમ્બરોને ખંત થી કામે લાગી જવા અને પોતાની ઉપયોગીતા જૈનમ્ પરિવાર માટે યથાર્થ કરવા માટે હાંકલ કરી હતી. નિલેશભાઈ કામદારએ સમગ્ર આયોજન અને વ્યવસ્થા અંગે માહીતી આપી હતી. જીતુભાઈ કોઠારીએ સળંગ સાતમાં વર્ષે થઈ રહેલા જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવ વિશે ટુંકસાર આપ્યો હતો તથા આ મધ્યસ્થ કાર્યાલય ખાતે નવરાત્રી સુધી ખેલૈયાઓ માટે ફોર્મ મેળવી પરત કરવા તેમજ જૈનમ્ કમીટીને લગતી કામગીરીની ઉપયોગીતા માટે કાર્યાલય દરરોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ધમધમતું રહેશે તે અંગે પણ માહીતી આપી હતી.
- Advertisement -
મધ્યસ્થ કાર્યાલયનાં ઉદ્ઘાટક અને દાતાશ્રી જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બ્ોનાણીએ જૈનમ્ પરિવારને આ અવિરત સફળ આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. ગત તા.12-9-2024નાં રોજ ટીમ જૈનમનાં નિશાંતભાઈ વોરાનાં સૌજન્યથી તેમના નિવાસસ્થાન એટલાન્ટીસ બીલ્ડીંગ, ઈમ્પીરીયલ હાઈટ્સની બાજુમાં, 150 ફુટ રીંગ રોડ ખાતે ટીમ જૈનમ્ની એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવ 2024 ની પૂર્વ તૈયારી અંગે માહીતગાર કરવા તથા દર વર્ષે સફળ આયોજન માટે વિવિધ જવાબદારીઓની વહેચણી અંતર્ગત વિવિધ કમીટીઓની રચના કરવામાં આવતી હોય છે જે આ મીટીંગમાં આ વર્ષની કમીટી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ મીટીંગની શરૂઆતમાં હીતેશ મણીઆરએ નવકાર મંત્રનાં પઠન સાથે શુભ શરુઆત કરાવી હતી. સુજીતભાઈ ઉદાણીએ સમગ્ર આયોજન અને તેને લગતી વિવિધ કામગીરી અંગે તમામને માહીતી પ્રદાન કરી હતી. સેજલભાઇ કોઠારીએ આ વર્ષે તમામ જૈનમ્ કમીટી મેમ્બરો માટે નક્કી કરેલ ડે્રસ કોડ વિશે માહીતી આપેલ હતી. મેહુલભાઈ દામાણીએ ફોર્મ વિતરણ અંગે ઉપસ્થિત મેમ્બરોને માહીતગાર કર્યા હતા. વિભાશભાઈ શેઠ એ આ વખતે પણ તમામ દાતાશ્રીઓનો ખુબ સુંદર મળવા અંગે માહીતી આપી હતી. અમીષભાઈ દેસાઈએ દરેક કમીટી મેમ્બરોને સ્વૈચ્છીક રીતે સંસ્થા માટે પોતાનું પ્રદાન શું છે તે અંગે ખૂબ પ્રેરણાજનક વાત રજુ કરી હતી. શૈલેષભાઈ માંઉ એ અંતમાં આભાર વિધી કરેલ હતી. સમગ્ર સુંદર સંચાલન જયેશભાઈ મહેતાએ પોતાની આગવી શૈલીમાં કરેલ હતું.