ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શ્રી ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ દ્વારા આયોજીત જય ભવાની રાસોત્સવ 2024નું આયોજન તા.13-10-2024ને રવિવારના રોજ સાંજે પ-00 કલાકે, થનગનાટ રજવાડી ગ્રાઉન્ડ, ધોળકિયા સ્કૂલની સામે, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.આ રસોત્સવમાં ખૈલૈયાઓને થનગનાટ કરાવવા ગાયક કલાકારો વિશાલભાઇ વરૂ, મિલનભાઇ કાકડીયા તથા ઇલાબેન મકવાણા પોતાની ટીમ સાથે ગરબે ધુમાવશે. આ રાસોત્સવમાં રાજપૂતના પોશાક સાથે રાસોત્સવની શોભા વધારશે. તો આ ભવાની રાસોત્સવમાં બધા ભાઇઓ તથા બહેનોને પધારવા નિમંત્રણ છે.
- Advertisement -
આ આયોજનને સફળ બનાવવા મનોજસિંહ ડોડિયા, અંકિતસિંહ ચાવડા, મોહિતસિંહ સિંધવ, ગૌરવસિંહ ચાવડા, સ્મિતસિંહ ચાવડા, જીતેન્દ્રસિંહ ચાવડા, રવિરાજસિંહ ડાભી, સંજયસિંહ ચાવડા, કિશનસિંહ ડોડિયા, રોમિતસિંહ ડાભી, દિલીપસિંહ ગોહિલ, વિશાલસિંહ ચાવડા, પ્રવિણસિંહ ચાવડા, મહેન્દ્રસિંહ સિંધવ તથા સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.