અમિત શાહે કહ્યું, ચીનને લઇને કોંગ્રેસનું બેવડું વલણ, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દીધો, વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો ચાલી રહ્યો છે. તેવામાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમિત શાહે કહ્યું છે કે, ચીનને લઇને કોંગ્રેસનું બેવડું વલણ, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દીધો. ભારતની એક ઇંચ જમીન પર પણ ચીન કબજો નહીં કરી શકે.
- Advertisement -
શું કહ્યું અમિત શાહે ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કીધું હતું કે, ચીનને લઇને કોંગ્રેસનું વલણ બેવડું છે. આજે વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દીધો. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય જવાનોએ વીરતા દેખાડીને ચીની સૈનિકોને પરત ધકેલ્યા. ચીનના સૈનિકો સામે ભારતીય સેનાએ વીરતા બતાવી. ચીનની ઘુસણખોરી બાદ તુરંત ભારતીય સેનાના જવાનોએ ચીની સેનાને પરત ખદેડી દીધી હતી.
#WATCH | Today there is a BJP government in the country. As long as our govt is there no one can capture even an inch of land. I salute the valour shown by our Indian Army troops on the intervening night of December 8-9 (in Arunachal Pradesh): Union Home Minister Amit Shah pic.twitter.com/hsBTJv8dcN
- Advertisement -
— ANI (@ANI) December 13, 2022
મહત્વનું છે કે, અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો ચાલી રહ્યો છે. કોંગ્રેસ, RJD, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી દળોએ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે લોકસભામાં અને 12.30 વાગ્યે રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન આપશે. બીજી તરફ પીએમ મોદીએ કેબિનેટની બેઠક પણ બોલાવી છે.