અવકાશ વિજ્ઞાન ક્ષેત્રનો પ્રોજેકટ સૌરાષ્ટ્રમાં 25 એકરમાં અર્થ સ્ટેશનનું નિર્માણ થશે: સેટેલાઈટ દ્વારા હવામાન, સુરક્ષા, કૃષિ જેવા ક્ષેત્રોની માહિતી મેળવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્ર્વભરમાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઈસરો રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે પણ સ્પેસ ટેક્નોલોજી પોલિસીની જાહેરાત કરી છે. ત્યારે ઇસરો દ્વારા જામખંભાળિયામાં 25 એકર જમીન પર કરોડોના ખર્ચે નવું અર્થ સ્ટેશન બનાવાઈ રહ્યું છે.
આ અર્થ સ્ટેશનનો કયા કયા ક્ષેત્રે ઉપયોગ કરાશે તે અંગે ચેરમેને જાહેરાત કરી હતી. હવે આ મુદ્દે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએે વિસ્તૃત માહિતી આપી છે.
જામ ખંભાળિયામાં બની રહેલા ઈસરોના નવા અર્થ સ્ટેશન વિશે નિલેશ એમ. દેસાઈએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આગામી 4 વર્ષમાં ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે 52 સેટેલાઈટ બનાવવાની મંજૂરી આપી છે. જે અંતર્ગત ઈસરો રિમોટ સેન્સિંગ, કેમેરા અને રડારવાળા કોમ્પ્લિકેટેડ 21 સેટેલાઈટ બનાવી રહ્યું છે.
આ ઉપરાંત નાના અને પ્રમાણમાં સરળ 31 સેટેલાઈટ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા નિર્માણ થઇ રહ્યા છે. ઇસરોના ૠઈંજઅઝ-1અ સેટેલાઈટ પણ તૈયાર થઇ ગયો છે, જે આગામી સમયમાં ૠજકટ વ્હિકલ ઉપલબ્ધ થતા લોન્ચ થશે. આ સેટેલાઈટ 36000 કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીની તસવીરો લઈ શકશે. એ સિવાય તે હવામાન સહિતની માહિતી મેળવવા પણ ઉપયોગી થશે.
આ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ ઈસરોમાં અનેક પ્રકારના કેમેરાવાળા 13 અને 7 રડાર સેટેલાઈટનું કામ ચાલી રહ્યું છે. આ સેટેલાઈટ બનાવવા માટે 4 વર્ષની સમયમર્યાદા છે, જેમાં 6 મહિના પૂરા થઈ ગયા છે એટલે કે હવે 3.6 વર્ષના સમય ગાળામાં આ સેટેલાઈટ બની જશે.
- Advertisement -
આ સેટેલાઈટ લોન્ચ થયા પછી તેનો ઉપયોગ કરવા ગ્રાઉન્ડ પર અર્થ સ્ટેશન (ભૂ-કેન્દ્ર) બનાવવાનું કામ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જામ ખંભાળિયામાં થઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 25 એકર જમીન પર બની રહ્યું છે, જે લગભગ 100 કરોડથી વધુના ખર્ચે બનીને આગામી 3-4 વર્ષમાં તૈયાર થઈ જશે.
અત્યારે સાઈટ પર સોઇલ ટેસ્ટિંગ અને અન્ય જરૂરી કાર્યવાહી થઈ રહી છે. આ માટે હવે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકના કામો અંગે જરૂરી પ્રક્રિયા ચાલુ કરાશે.આ અર્થ સ્ટેશનની મદદથી સેટેલાઈટ દ્વારા રિમોટ સેન્સિંગને લગતી જરૂરી સેવાઓ, જેમ કે હવામાન, સુરક્ષા અને કૃષિ સહિતના અનેક ક્ષેત્રોની માહિતી મેળવવામાં આવશે.
જામખંભાળિયામાં બનનાર અર્થ સ્ટેશન અપડેટ
હવામાન, સુરક્ષા સંબંધિત અને એગ્રિકલ્ચર સહિત અનેક માહિતી મળશે
25 એકરમાં 100 કરોડના ખર્ચે 3-4 વર્ષમાં અર્થ સ્ટેશનનું નિર્માણ થશે
સાઈટ પર સોઈલ ટેસ્ટિંગ સહિત અન્ય કામગીરી શરૂ



