ગઈકાલે ઈઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહની 1100 જગ્યાઓ પર 300થી વધુ મિસાઈલો છોડી હતી, આ મોટા હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે.
ઈઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહની 1100 જગ્યાઓને નિશાન બનાવી છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ મોટા હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા અને 1,645 લોકો ઘાયલ થયા છે.’
- Advertisement -
મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને હુમલા પણ ચાલુ છે. દરમિયાન એવા સમાચાર છે કે ઈઝરાયેલે પણ 7 દિવસ માટે ઈમરજન્સી જાહેર કરી છે. ઇઝરાયેલના ફાઇટર જેટ હાલમાં લેબનોનમાં બોમ્બ ફેંકી રહ્યા છે, સાથે જ ઇઝરાયેલના સૈનિકો સીધા જ લેબનોનમાં ઘુસીને હુમલો કરી શકે છે. રિપોર્ટ અનુસાર 2006માં ઇઝરાયેલ-લેબનોન યુદ્ધ બાદ આ સૌથી મોટો હુમલો છે. છેલ્લા 18 વર્ષમાં આટલા મોટા પાયે હુમલા થયા નથી. આ હુમલાઓ બાદ લેબનોનમાં તમામ શાળા-કોલેજ 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે, ઇઝરાયેલમાં 30 સપ્ટેમ્બર સુધી રાજ્ય ઈમરજન્સી લાદવામાં આવી છે. હિઝબુલ તરફથી વળતા હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લેબનોનમાં પેજર એટેક થયો હતો, ઘણા પેજરમાં અચાનક વિસ્ફોટ થયા હતા, જેના પરિણામે 10 થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 4000 લોકો ઘાયલ થયા હતા. તે હુમલામાં ઈઝરાયેલની ભૂમિકા સામે આવી હતી, એવું કહેવાય છે કે તે હુમલો મોસાદે કરાવ્યો હતો. આ કારણોસર, હિઝબુલ્લાએ પણ બદલો લઈ શકે છે અને એવું લાગી રહ્યું છે કે વિશ્વ બીજા યુદ્ધની અણી પર ઉભું છે.