રાજકોટ મનપાએ કરોડોના ખર્ચે તૈયાર કરેલી લાઈબ્રેરીમાં એક હાથે પુસ્તક ખરીદી કરવામાં આવે છે તેની કમિટીના મેમ્બર કોણ…?
લાઈબ્રેરી માટે પુસ્તક ખરીદી જ્યુબિલી બાગ પાસે વન-વેમાં આવેલ બુક સ્ટોર એકમાત્ર કાયમી જગ્યા..!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પુસ્તકપ્રેમી અને વાચકોના મંતવ્યો મુજબ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આવેલી લાઈબ્રેરીઓ અતિ આધુનિક સુવિધાઓ સાથે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી છે. જેમાં 4થી 5 જેટલી લાઈબ્રેરીમાં દરેક સુવિધાઓ સાથેના ઓડિટોરિયમ પણ આવેલા છે જે ચીફ લાઈબ્રેરિયન આરદેશણા, ડેપ્યુટી લાઈબ્રેરિયન સુનીલની અણઆવડત અને જીદના કારણે બંધ પડ્યા છે.
રાજકોટમાં બીજી નાની જગ્યામાં આવેલી લાઈબ્રેરીઓ પણ છે જે અત્યંત પ્રચલિત અને વિશિષ્ટ નામના ધરાવે છે. આ લાઈબ્રેરીઓમાં અગણિત સેલિબ્રિટીઓ મુલાકાત લઈ ચૂકી છે તેમજ વર્ષ દરમ્યાન સાહિત્યકારોને બુકટોક અંતર્ગત સતત કાર્યક્રમો કરી પ્લેટફોર્મ પૂરું પાડે છે અને યુવાધન અને વાચકોને લાઇબ્રેરી પ્રત્યે આકર્ષિત કર્યા છે.
જ્યારે રાજકોટ મનપા લાઈબ્રેરીની વાત કરી તો તે વિશાળ જગ્યામાં અને પ્રજાના પૈસામાંથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવે છે જેમાં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા ચીફ લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેશણાએ રોજમદારમાંથી ઉપાડી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘૂસાડેલા સુનીલ દેત્રોજા અણઆવડતનો મોટો નમૂનો છે જેને અંગ્રેજી ભાષામાં અને સાહિત્યમાં કોઈ જ જ્ઞાન છે નહીં. તેમની નીચે પણ મનપા દ્વારા જે સ્ટાફ મૂકવામાં આવ્યો છે તે આઉટસોર્સ કંપની પૂરો પાડે છે. આર્થિક જરૂરિયાત ધરાવતાં કોલેજ પાસ યુવાન વ્યક્તિઓ હોય છે જેની પાસે લાઈબ્રેરીને સુસંગત કોઈ મોટું નોલેજ હોતું નથી માટે અંધેર નગરીમાં એરંડો પ્રધાન જેવું લાગે છે.
મનપાની લાઈબ્રેરીમાં પુસ્તક ખરીદી કોઈ કમિટી બનાવ્યા વગર જ કરવામાં આવે છે જેથી સાહિત્યલક્ષી પુસ્તક ઓછા અને પસ્તી વધુ જમા થતી રહે છે. લાઈબ્રેરી સમાજમાં એક પ્રતિભાશાળી જગ્યા છે જ્યાં લોકો પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે આવતાં હોય છે પણ સુનીલ મનપાની લાઈબ્રેરી આગવું સ્થાન મેળવે તેવા એકપણ પ્રયત્ન કરતાં નથી તેમજ બુકટોક જેવા કાર્યક્રમો કરવાની વાત આવે એટલે તરત વાત ઉડાવી દેવામાં આવે છે. જે જોતાં વાંચકોમાં કચવાટ ફેલાયો છે અને માંગ ઉઠી છે કે મનપાએ કરોડોના ખર્ચે તૈયાર કરેલાં ઓડિટોરિયમ કાયમી શોભાના ગાંઠિયા સમાન જ રહેશે..!
- Advertisement -
થોડા સમય પહેલાં જ રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 10થી 12 લાખની કિંમતના પુસ્તકો ખરીદી શાળાઓમાં પધરાવી દેવામાં આવ્યા હતા જેમાં પણ કોઈ કમિટી રચવામાં આવી હોય તેવું જાણવા મળ્યું નથી. શિક્ષણ સમિતિની શાળામાં કે ઓફિસમાં લાઈબ્રેરી સુસંગત કોઈ અનુભવી સ્ટાફ કાર્યરત નથી ત્યારે આવા લાખો રૂપિયાનો ખર્ચ કરી પુસ્તક ખરીદી કરવાનો નિર્ણય કોના લાભ માટે..?
ઉલ્લેખનીય છે કે રાજકોટ શિક્ષણ સમિતિ પોતે અલગ બોર્ડ છે અને ત્યાંના ખર્ચ કરવા માટે તે પોતે સક્ષમ હોવાથી પોતાનું અલગ અને વિશાળ બજેટ ધરાવે છે. તો પછી શિક્ષણ સમિતિની બોર્ડ કમિટી દ્વારા મનપા સમક્ષ શાળાઓમાં પુસ્તક ખરીદી કરવા કોઈ દરખાસ્ત કરવામાં આવી છે કે બારોબાર પોતાની કુબુદ્ધિ વડે તગડું કમિશન મેળવવાં ચીફ લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેશણાએ રોજમદારમાંથી ઉપાડી ડેપ્યુટી લાઈબ્રેરિયન તરીકે ઘૂસાડેલા સુનીલ દેત્રોજાએ આ પુસ્તકો પસ્તી સ્વરૂપે શિક્ષણ સમિતિની શાળાઓમાં ધાબળી દેવામાં આવ્યા છે, અને તે ખરેખર વિદ્યાર્થીઓ ઉપયોગમાં લે છે કે નહીં જે તપાસનો મોટો વિષય છે.



 
                                 
                              
        

 
         
        