રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી થયા બાદથી હવે રાજકોટના નવા સી.પી. કોણ તેની ચર્ચાને લઇને અનેક અટકળો લાગી હતી. તેવામાં આજે રાજુ ભાર્ગવને નામ રાજકોટ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મડ યુનિટ) ગુજરાત સ્ટેટ, ગાંધીનગર ખાતે સેવારત હતા. તેઓની નવી નિમણુંકને પગલે પોલીસ કમિશ્નર તરીકેના એડીશનલ ચાર્જમાંથી IPS ખુરશીદ અહેમદને મુક્તિ મળશે.
- Advertisement -
લાંબા સમયથી ખાલી પડેલી પોલીસ કમિશ્નરની જગ્યા પર સિનિયર IPS રાજુ ભાર્ગવની નિમણુંક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995 બેચના IPS અધિકારી છે. થોડા સમય પહેલા તેઓ કેન્દ્રનાં ડેપ્યુટેશનમાંથી પરત ફર્યા હતા. અને અત્યાર સુધી આર્મ્સ યુનિટનાં વડા તરીકે કાર્યરત હતા. હવે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરની મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.
રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ અને તેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે લાખોના કમિશન લીધાના કથિત આક્ષેપો સામે ઈન્કવાયરી બાદ મનોજ અગ્રવાલને પોલીસબેડામાં ચર્ચાતી વિગતો મુજબ સાઈડલાઈન ગણાતી અને એક સમયે એસપી રેંકની પોસ્ટ જૂનાગઢ એસઆરપીની ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે પોસ્ટ અપગ્રેડ કરીને અગ્રવાલને ત્યાં મુકી દેવાયા છે.
હવે તેઓની કામગીરી પર સૌ કોઈની નજર રહેલી છે. તેઓ ટુંક સમયમાં ચાર્જ સંભાળી શકે છે.