INS સુમિત્રા ભારતીય નૌકાદળની સોમાલી ચાંચિયાઓ સામેની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલ નામીને બચાવી લીધું છે. ભારતીય સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોએ ક્રૂને સુરક્ષિત રીતે બચાવવાના ઓપરેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે સફળતાપૂર્વક બોટને બંધકોમાંથી મુક્ત કરાવી હતી.
સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે. ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારીના જહાજ અલ નામીને બચાવી લીધું છે.
- Advertisement -
#INSSumitra Carries out 2nd Successful #AntiPiracy Ops – Rescuing 19 Crew members & Vessel from Somali Pirates.
Having thwarted the Piracy attempt on FV Iman, the warship has carried out another successful anti-piracy ops off the East Coast of Somalia, rescuing Fishing Vessel Al… https://t.co/QZz9bCihaU pic.twitter.com/6AonHw51KX
— SpokespersonNavy (@indiannavy) January 30, 2024
- Advertisement -
ચાંચિયાઓ સામે INS સુમિત્રાનું વધુ એક ઓપરેશન
માહિતી આપતાં, એક ભારતીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ કોચીના દરિયાકાંઠે લગભગ 800 માઇલ દૂર ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ અલ નામીને બચાવી લીધું છે.
માછીમારીના જહાજમાં 19 પાકિસ્તાની સવાર હતા
ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું કે નેવલ શિપ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક સફળ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નૌકાદળે માછીમારીના જહાજ અલ નામી અને તેના ક્રૂને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે. આ જહાજમાં 19 પાકિસ્તાની નાગરિકો પણ સવાર હતા.
Indian navy warship rescues 19 Pakistani nationals, fishing vessel hijacked by Somali pirates
Read @ANI Story | https://t.co/Ln2r040kul#IndianNavy #SomaliaPirates #Pakistan #INSSumitra pic.twitter.com/l9Kx3c2r5J
— ANI Digital (@ani_digital) January 30, 2024
ઈરાની જહાજને એક દિવસ પહેલા બચાવી લેવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા પણ ભારતીય નૌસેનાએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું, જેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા.