ત્સુનામીનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ જકાર્તા, તા.19
- Advertisement -
ઈન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગ પર બુધવારથી સતત જ્વાળામુખી ફાટવાની ઘટના બની રહી છે. અહીં 24 કલાકમાં 5 વખત જ્વાળામુખી ફાટ્યો છે. ખતરાને જોતા રુઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11 હજાર લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ આગામી 24 કલાક માટે એરપોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જ્વાળામુખીમાંથી નીકળતા લાવાને કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અલ જઝીરા અનુસાર, માઉન્ટ રુઆંગ પર પહેલો વિસ્ફોટ મંગળવારે રાત્રે 9:45 કલાકે થયો હતો.જેના કારણે હજારો ફૂટ ઉંચો લાવા ઉછળ્યો છે અગાઉ 1871માં ઈન્ડોનેશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો હતો. આ પૂર્વે 800 નિવાસીઓને તો બુધવારે જ સ્થળાંતર કરવામાં આવ્યા છે. પર્યટકો સહિત અન્યોને તે વિસ્તારતી છ કી.મી. દૂર રહેવા જણાવી દેવાયું છે. અધિકારીઓને ચિંતા છે કે કદાચ સુનામી ઉપસ્થિત થઇ જશે. કદાચ જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પણ પડી જવા સંભવ છે. આ જ્વાળામુખી વિસ્ફોટની સાથે 1871માં ક્રાકાઓટા વોલ્કેનોના અતિ પ્રચંડ વિસ્ફોટની યાદ તાજી થાય છે.
ઇન્ડોનેશિયામાં 120 સક્રિય જ્વાળામુખી
ભૂકંપને કારણે 2 જ્વાળામુખી ફાટ્યો
- Advertisement -
ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે, “રુઆંગ જ્વાળામુખી ફાટ્યા બાદ રાખનો વાદળ આકાશમાં 2 કિમીની ઉંચાઈ સુધી ઉછળ્યો હતો. બીજા વિસ્ફોટ પછી આ ઊંચાઈ વધીને 2.5 કિમી થઈ ગઈ હતી.” અલ જઝીરા અનુસાર, ઈન્ડોનેશિયા ’રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવે છે. દેશમાં 120 સક્રિય જ્વાળામુખી છે. ઈન્ડોનેશિયામાં ડિઝાસ્ટર સેન્ટર એલર્ટ મોડ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે માઉન્ટ રુઆંગ નજીક તાજેતરમાં બે ભૂકંપ આવ્યા હતા. આ કારણે ટેકટોનિક પ્લેટ્સ અસ્થિર બની ગઈ, જેના કારણે જ્વાળામુખી ફાટી નીકળ્યો.અધિકારીઓએ જણાવ્યું કે લોકોને બચાવવા માટે 20 બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અલજઝીરાના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સીએ ખતરાને જોતા લેવલ 4ની ચેતવણી જારી કરી છે. આ સિવાય જ્વાળામુખીની નજીકના 6 કિમી વિસ્તારને એક્સક્લુઝિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.