ભારતની NDRFની ટીમો પણ બચાવ માટે તુર્કી અને સીરિયા પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી રહી છે.
તુર્કીયે અને તેના પડોશી દેશ સીરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં બંને દેશોમાં મૃત્યુઆંક 24,000ને પાર કરી ગયો છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. આ તબાહી વચ્ચે ભારતની NDRFની ટીમો પણ બચાવ માટે તુર્કી અને સીરિયા પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી રહી છે.
- Advertisement -
NDRF જવાનોએ 8 વર્ષની બાળકી બચાવી
ઓપરેશન દોસ્ત હેઠળ ભારતે હાલ પોતાની ટીમ તુર્કીયેમાં મોકલી છે. જય કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકીને NDRF જવાનોએ બચાવી હતી. NDRF જવાનોએ 8 વર્ષની બાળકીને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી છે. ચોંકાવનારી વાત એ છે કે બાળકી 4 દિવસ બાદ કાટમાળમાંથી જીવતી બહાર આવી છે.
#WATCH | India's NDRF & Turkish Army rescue an 8-year-old girl who was stuck alive under rubble of a building flattened by the massive earthquake in Nurdagi, Gaziantep in Turkey.
So far 24,000 people are dead in Turkey & Syria earthquakes that led to devastation.
- Advertisement -
(Source: NDRF) pic.twitter.com/6NNAAAzKml
— ANI (@ANI) February 11, 2023
તુર્કીયે અને સીરિયામાં 24 વર્ષ બાદ સૌથી ભયંકર ભૂકંપ આવ્યો છે. અગાઉ 1999માં ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી, જેમાં 17,000 લોકો માર્યા ગયા હતા. 2023ના ભૂકંપથી હજારો ઈમારતોને ભારે નુકસાન થયું છે. જાનહાનિમાં વધુ વધારો થવાની ધારણા છે કારણ કે, બચાવકર્તા હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધી રહ્યા છે. આ પછી પણ તુર્કીયેમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 100થી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે.
મહત્વનું છે કે, સીરિયામાં અત્યાર સુધીમાં 3,500 થી વધુ લોકોના મોત થયા છે. સીરિયામાં ઘાયલોની સારવાર માટે રાહત સામગ્રી ખતમ થઈ ગઈ છે. ઉત્તર-પશ્ચિમ સીરિયાના ઇદલિબમાં કેન્દ્રીય હોસ્પિટલના ડો મોહમ્મદ અલ્બ્રાશે સહાય માટે તાત્કાલિક અપીલ જાહેર કરી. અલબ્રાશ કહે છે કે, અહીંની હોસ્પિટલો દવા અને સાધનોની અછતનો સામનો કરી રહી છે. તેણે અલ જઝીરાને કહ્યું, ‘હોસ્પિટલ દર્દીઓથી ભરેલી છે. અમે આટલી મોટી સંખ્યામાં દર્દીઓનો સામનો કરી શકતા નથી. દર્દીઓને ગંભીર ઈજાઓ થઈ છે તેથી અમને વધુ મદદની જરૂર છે.