દીવાલોમાં તિરાડો, વરસાદી પાણી ટપકે છે છતાં મનપા તંત્ર બેફિકર
લક્ષ્મીનગર-2માં આવેલી આંગણવાડીની ખંડેર જેવી હાલત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ સિટીની શ્રેણીમાં ગણાતા રાજકોટ મહાનગર પાલિકાની આંગણવાડી જર્જરીત થઈ ગઈ છે. નાના મવા રોડ પર લક્ષ્મીનગર-5માં આવેલી આંગણવાડી ઘટક નં-2 ખંડેર જેવી બની ગઈ છે. જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ઝળુંબી રહ્યું છે. આ આંગણવાડીના વર્ગખંડોની દીવાલોમાં તિરાડ પડી ગઈ છે. વર્ગખંડની છત પર સળિયા જોવા મળી રહ્યા છે.ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. દીવાલો પણ જર્જરીત થઈ છે. ત્યારે ક્યારે તૂટી પડે એ કહેવાય નહીં. તેમ છતાં મનપા તંત્ર બે ધ્યાન છે. બાળકોનાં કેળવણીનું પ્રથમ પગથિયું આંગણવાડી (બાળ મંદિર) કહેવાય છે પરંતુ આંગણવાડી જ જર્જરીત હોય તથા કોઈ સુવિધા ન હોય તો બાળકોનાં ભાવીનું ઘડતર કેવી રીતે થાય ? સરકાર દ્વારા આંગણવાડીનાં વિકાસ માટે લાખો રૂપિયા ફાળવાય છે. ત્યારે વિકાસની ગ્રાન્ટ ક્યાં જાય છે તે પણ જોવાની જરૂર છે.