તુર્કીયે અને સીરિયામાં ભૂકંપના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ભારતીય સેના અને NDRFની ટીમોએ તુર્કીયેમાં મોરચો સંભાળ્યો છે. ભારતીય સેનાએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર સતત ચાલી રહી છે. સાથે જ NDRFની ટીમોએ પણ બચાવકાર્ય શરૂ કરી દીધું છે. NDRFની ત્રણ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં ઈમારતોના કાટમાળમાં જીવને શોધી રહી છે.
સોમવારે તુર્કીયે અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયે અને સીરિયાની સરહદ નજીક હતું. આવી સ્થિતિમાં બંને દેશોમાં ભારે તારાજી સર્જાઈ છે. તુર્કીયે અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 15000 લોકોના મોત થયા છે. તુર્કીયેમાં અત્યાર સુધીમાં 12,391 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં 2,992 લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને દેશોમાં 11000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યા પણ 15000 થી વધુ છે.
- Advertisement -
#OperationDost | Search and rescue operation underway by NDRF teams in Turkey's Nurdagi.
3 NDRF teams along with specially trained dog squads, medical supplies & other necessary equipment are sent to Turkey from India to provide assistance to people affected by the earthquakes. pic.twitter.com/Uifa0IItUK
— ANI (@ANI) February 9, 2023
- Advertisement -
ભારતનું ‘ઓપરેશન દોસ્ત’
ભારતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ તુર્કીયેને ખાસ મદદ મોકલી છે. ભારતમાંથી NDRFની ત્રણ ટીમ બચાવ માટે તુર્કી પહોંચી છે. આ ટીમોમાં સ્પેશિયલ રેસ્ક્યુ ડોગ સ્ક્વોડ પણ સામેલ છે. આ સિવાય ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ તુર્કી પહોંચી છે. ભારતીય સેનાએ હાથે શહેરમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર સતત ચાલી રહી છે. એટલું જ નહીં NDRFની ટીમો પણ બચાવ કાર્ય ચલાવી રહી છે. જો કે, ઠંડી અને હિમવર્ષાના કારણે તુર્કીયેમાં રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
તુર્કીયેની મદદે 70 દેશો આગળ આવ્યા
ભારત સહિત 70 દેશો હાલ તુર્કીયેને મદદ કરી રહ્યા છે. ભારત સહિત 70 દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કીયે માટે મદદનો હાથ લંબાવ્યો છે. ભારત સરકારે તુર્કીયેના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરવા ગાઝિયાબાદ અને કોલકાતા બેઝથી NDRFની 3 ટીમોને તુર્કી મોકલી છે.
#OperationDost | Medical treatment being given at Indian Army's field hospital set up in Hatay, Turkey to the people affected by the devastating earthquakes. pic.twitter.com/3trCTnes4v
— ANI (@ANI) February 9, 2023
તુર્કીયેમાં 3000 જેટલા ભારતીયો
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, તુર્કીયેના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા આ ભારતીયો સુરક્ષિત છે પરંતુ એક ભારતીય ગુમ છે. ભારત સરકાર તુર્કીયેમાં ગુમ થયેલા ભારતીયના પરિવારના સંપર્કમાં છે. ભૂકંપગ્રસ્ત તુર્કીયે અને સીરિયાની મદદ માટે ભારતે હાથ લંબાવ્યો છે. તમને જણાવી દઈએ કે, તુર્કીયેમાં રહેતા ભારતીયોની સંખ્યા 3000 છે અને તમામ સુરક્ષિત છે.