શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ગઈકાલે સંસદમાં જણાવ્યું હતું કે, ઋણના પુનર્ગઠન માટે ભારત અને ચીન સાથે વાતચીત સારી રહી છે. વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, “આ મુદ્દે હજુ ચર્ચાને આગળ વધારીશુ. તેમજ શ્રીલંકાના ઈતિહાસમાં સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી રાહત મેળવવા માટે ઈંખઋની સહાય મેળવવા માટે રાહ જોઈ રહ્યું છે.
અત્યારે આ જાહેરાત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની શ્રીલંકા મુલાકાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
એસ જયશંકર આજથી 20 જાન્યુઆરી સુધી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે છે. એસ જયશંકરની શ્રીલંકાની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, જયશંકરની આ મુલાકાત શ્રીલંકા નાદાર થયું તે પછીની પહેલી મુલાકાત હશે. આ પહેલા તેમણે જાન્યુઆરી 2021 અને માર્ચ 2022માં મુલાકાત લીધી હતી. શ્રીલંકા આપણું નજીકનું મિત્ર અને પાડોશી દેશ છે અને ભારત દરેક સમયે શ્રીલંકાના લોકોની સાથે ઊભું છે.
- Advertisement -
ચીનના પ્રતિનિધિમંડળ પણ શ્રીલંકાની લેશે મુલાકાત
વિક્રમસિંઘેની કરેલી જાહેરાત પછી, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ શ્રીલંકાની મુલાકાતે છે. મળતા અહેવાલના આધાર પર ભારતે ઔપચારિક રીતે જણાવ્યું છે કે, તે શ્રીલંકાના ઋણ પુનર્ગઠન યોજનાને સમર્થન આપી શેક છે, જેનાથી તેના ઋણ માટે ઈંખઋ તરફથી 2.9 બિલિયનના બેલઆઉટને અનલોક કરવામાં માટે પડતી મોટી મુશ્કેલી દૂર થઇ શકે છે.