ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારે માલદીવમાં હાજર પોતાના 75 સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ઈઘઙ28 ક્લાઈમેટ સમિટ દરમિયાન ભારતીય અધિકારીઓની હાજરીમાં આ માહિતી આપી હતી. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ભારતે 2010 અને 2013માં માલદીવને બે હેલિકોપ્ટર અને 2020માં એક નાનું એરક્રાફ્ટ ભેટમાં આપ્યું હતું. આને લઈને માલદીવમાં ભારે હોબાળો થયો હતો. મુઈઝુના નેતૃત્વમાં વિપક્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ સોલિહ પર ’ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. માલદીવની વિપક્ષી પાર્ટીઓએ ’ઈન્ડિયા આઉટ’ અભિયાન શરૂૂ કર્યું. તેમની માંગ એવી હતી કે ભારતીય સુરક્ષા દળોના જવાનોએ માલદીવ છોડવું જોઈએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઞઅઊમાં ચાલી રહેલી ઈઘઙ28 ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા માટે 30 નવેમ્બરે દુબઈ પહોંચ્યા હતા. 1 ડિસેમ્બરે તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મળ્યા હતા. બંનેએ સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
ભારત માલદિવમાંથી 75 સૈનિકોને પાછા બોલાવશે
