ભારતની નૌસેના તાકાતમાં થશે વધારો
ભારતીય નૌસેવાની આ ડીલ ગેમ-ચેન્જર સાબિત થશે: ચીન-પાકિસ્તાનને આ ડીલથી મોટો સંદેશો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
ભારતની નૌસેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. જેના માટે ભારતીય નૌસેના માટે ફ્રાન્સ સાથે 26 રાફેલ-એપ લડાયક વિમાન માટે એક મેગા ડીલને મંજુરી આપવામાં આવી છે. આ સોદા પાછળ લગભગ 63 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન લડાયક વિમાન ખરીદવાની મેગા ડીલને લીલીઝંડી આપી દીધી છે. 63 હજાર કરોડથી વધુના આ સરકારી સોદા પર ટુંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. આ સોદા અંતર્ગત ભારતીય નૌસેનાને 22 સિંગલ સીટર અને ચાર ટીવન સીટર વિમાન મળશે. સરકારી સુત્રો મુજબ આ સોદો વાયુસેનાનાં રાફેલ વિમાનોની ક્ષમતાઓને પણ અપગ્રેડ કરવામાં મદદરૂપ થશે.રાફેલ-એમ જેટને ભારતીય નૌસેનાનાં વિમાનોનાં બેડામાં સામેલ કરવામાં આવશે.
રાફેલ-એમ જેટ ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન કંપની તરફથી તૈયાર કરાયેલ ભારતીય વાયુસેના માટે એક ગેમ ચેન્જર સાબીત થશે જે સમુદ્રમાં સંચાલનની ક્ષમતા વધારશે આ જેટ વિમાનનો ઉપયોગ વિમાન વાહક યુધ્ધ જહાજ પર પણ કરવામાં આવશે. જેથી ભારતીય નૌસેનાની તાકાતમાં ઘણો વધારો થશે.
આ સોદો માત્ર રક્ષા ક્ષેત્ર માટે જ મહત્વનો નથી. બલકે ભારતીય સામુહીક તાકાતને પણ નવી દિશા આપશે. આથી માત્ર વાયુસેના અને નૌસેનાની ક્ષમતામાં જ વૃધ્ધિ નહિં થાય. બલકે તે ચીન અને પાકિસ્તાન જેવી તાકતોની સામે પણ ભારતને રણનીતિક વધારો પ્રદાન કરશે.