ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો ગઇકાલથી પ્રારંભ થતા ગિરનાર અન્નક્ષેત્ર ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવમાંથી જલ લઇને ભવનાથ મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પ્રસાદી રૂપે અન્નક્ષેત્રમાં લઇ જઇને અન્નક્ષેત્રો શરૂ કર્યા હતા. જૂનાગઢ શિવરાત્રી મેળામાં 250થી વધુ અન્નક્ષેત્રો પ્રતિવર્ષ ચાલે છે ત્યારે મેળામાં આવતા લાખો યાત્રીકોને વિનામુલ્યે પ્રસાદીરૂપે ભોજન કરાવે છે ત્યારે અન્નક્ષેત્ર મંડળના પ્રમુખ ભાવેશભાઇ વેકરીયા અને અન્ય અન્નક્ષેત્રના આગેવાનો દ્વારા તળેટીમાં આવેલ સુદર્શન તળાવમાંથી જલ ભરીને ભોળાનાથની આસ્થા સાથે જલાભીષેક કર્યો હતો અને ત્યાર બાદ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં અન્નક્ષેત્રનો ધમધમાટ શરૂ થયો હતો.
અન્નક્ષેત્ર મંડળ દ્વારા મહાદેવને જળાભિષેક બાદ અન્નક્ષેત્રનો પ્રારંભ
